બ્રિટનથી ભારત ક્યારે લાવવામાં આવશે કોહિનુર?, ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યુ મોટુ નિવેદન
કોહિનુરને ભારત લાવવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી છે. ક્વિન એલિઝાબેથના નિધન બાદ હવે ભારતમાં કોહિનુરને પાછો લાવવાની માંગ તેજ થઇ રહી છે. કોહિનૂર હીરાને લઈને ભારત સરકાર તરફથી પણ મોટો જવાબ આવ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ
કોહિનુરને ભારત લાવવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી છે. ક્વિન એલિઝાબેથના નિધન બાદ હવે ભારતમાં કોહિનુરને પાછો લાવવાની માંગ તેજ થઇ રહી છે. કોહિનૂર હીરાને લઈને ભારત સરકાર તરફથી પણ મોટો જવાબ આવ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે કોહિનૂર હીરાને પરત લાવવા અંગે મોટું નિવેદન આપ્યું છે.

કોહિનુર ક્યારે પરત લાવવામાં આવશે?
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને જ્યારે કોહિનૂર હીરાને ભારત પરત લાવવાની તાજેતરની માંગણીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે સરકાર આના પર સંતોષકારક ઉકેલના માર્ગો શોધવાનું ચાલુ રાખશે. બ્રિટનમાં સૌથી લાંબો સમય શાસન કરનાર રાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ વિશ્વના સૌથી મોટા હીરામાંથી એકને પરત લાવવાની વાત ફરી સામે આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કોહિનૂર હીરા પરના એક પ્રશ્નના જવાબમાં થોડા વર્ષો પહેલા સંસદમાં ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, "ભારત સરકારે થોડા વર્ષો પહેલા સંસદમાં આનો જવાબ આપ્યો હતો. અમે કહ્યું છે કે, અમે સમય સમય પર યુકે સરકાર સાથે આ મામલો ઉઠાવીએ છીએ અને અમે સંતોષકારક જવાબ મેળવવા માટે આતુર છીએ. અમે મામલાને ઉકેલવા માટેની રીતો અને માધ્યમો શોધવાનું ચાલુ રાખશે."

વિશ્વનો સૌથી મોટો હીરા
તમને જણાવી દઈએ કે કોહિનૂર હીરા વિશ્વના સૌથી મોટા હીરામાંથી એક છે અને આ હીરા 108 કેરેટનો છે, જે વર્ષ 1849માં રાણી વિક્ટોરિયાને આપવામાં આવ્યો હતો. હાલમાં, કોહિનૂર હીરા, જેને "પ્રકાશના પર્વત" તરીકે પણ ઓળખવામાં આવે છે, તે માલ્ટિઝ ક્રોસમાં બ્રિટનની સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II માટે બનાવેલા તાજમાં સ્થાપિત થયેલ છે. તમને જણાવી દઈએ કે મહારાજા દુલીપ સિંહ દ્વારા 1849માં મહારાણી વિક્ટોરિયાને 108 કેરેટનો કોહિનૂર રત્ન આપવામાં આવ્યો હતો. પછી રાણીએ તેને વર્ષ 1937 માં તેના તાજ પર મૂક્યો. તાજેતરમાં, જ્યારે બ્રિટિશ રાણીનું નિધન થયું ત્યારે ટ્વિટર પર તેની ભારત પરત ફરવાની માંગ ટ્રેન્ડ કરી રહી હતી. અગાઉ એવી અટકળો હતી કે બ્રિટનના નવા રાજા ચાર્લ્સ III ની પત્ની ક્વીન કોન્સોર્ટ કેમિલાને આવતા વર્ષે મે મહિનામાં ચાર્લ્સનો રાજ્યાભિષેક થશે ત્યારે કોહિનૂરનો તાજ પહેરાવવામાં આવશે. પરંતુ, ધ ટેલિગ્રાફના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હીરાની માલિકીની આસપાસ ચાલી રહેલા નિવેદનબાજી અને આ બાબતની રાજકીય સંવેદનશીલતાને જોતાં તે હવે તેને પહેરી શકશે નહીં.

મુગટમાં જડેલા છે બેશકિમતી હીરા
તમને જણાવી દઈએ કે 108 કેરેટના કોહિનૂર હીરાએ 1937માં રાણી એલિઝાબેથના તાજને શણગાર્યો હતો અને આ હીરા તેમના મૃત્યુ સુધી તેમના તાજ પર જ રહ્યો હતો. જો કે હવે આ તાજ બ્રિટનની નવી રાણી કેમિલાને જશે. આ હીરામાં નીલમ અને અન્ય અનેક પ્રકારના પથ્થરો જડેલા છે જે ખૂબ જ કિંમતી છે. આ તાજની કિંમત લગભગ 4500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. કોહિનૂર હીરા ભારતમાં 14મી સદીમાં મળી આવ્યો હતો, પરંતુ બ્રિટિશ શાસનને કારણે આ હીરો ભારતમાં રહ્યો નહીં અને સમયાંતરે અલગ-અલગ જગ્યાએ જતો રહ્યો. 1947માં ભારતની આઝાદી બાદ આ હીરાને પરત લાવવાની માંગ વેગ પકડવા લાગી. વિખ્યાત ભારતીય વૈજ્ઞાનિક સર સી.વી. રામને, હીરાના માળખાકીય સ્વરૂપ પરના પ્રવચન દરમિયાન કોહિનૂરનો ઉલ્લેખ કરીને એક વખત કહ્યું હતું કે જ્યાં સુધી હીરાની વાપસી ન થાય ત્યાં સુધી દેશની આઝાદી પૂર્ણ ગણાય નહીં.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
