'આતંકીઓના આકા, ખાલી કરો PoK...', સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે પાકિસ્તાની પીએમને ઝાટક્યા
India on POK at United Nations: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણ દરમિયાન પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાન અનવારુલ હક કાકરે ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, જે બાદ ભારતે પાકિસ્તાનને જાહેરમાં ઝાટકી દીધા છે.
સંયુક્ત રાષ્ટ્રના પ્રથમ સચિવ, યુએનજીએની બીજી સમિતિનું પ્રતિનિધિત્વ કરતા પેટલ ગેહલોતે પાકિસ્તાની કેરટેકર વડા પ્રધાનને તેમના જવાબમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારતમાં તેના કબજા હેઠળના વિસ્તારો છોડી દેવા જોઈએ અને સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જોઈએ.

પાકિસ્તાનને ઝાટકતા પેટલ ગેહલોતે કહ્યું, "દક્ષિણ એશિયામાં શાંતિ માટે, પાકિસ્તાને ત્રણ પગલાં લેવાની જરૂર છે, પ્રથમ સીમા પારના આતંકવાદને રોકવા અને તેના આતંકવાદના માળખાને તાત્કાલિક બંધ કરો. બીજું, ભારતીય પ્રદેશો ખાલી કરીને ગેરકાયદેસર અને બળજબરીપૂર્વકના કબજાને રોકો અને ત્રીજું પાકિસ્તાનમાં લઘુમતીઓ વિરુદ્ધ ગંભીર અને સતત માનવાધિકાર ઉલ્લંઘનને બંધ કરો."
ભારતીય રાજદ્વારીએ પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના આંતરિક પરિબળો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાની કાનૂની સ્થિતિ નથી. પેટલ ગેહલોતે કહ્યું, "અમે પુનરોચ્ચાર કરીએ છીએ કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અંગ છે. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોને લગતી બાબતો સંપૂર્ણપણે ભારતની આંતરિક છે."
તેમણે વધુમાં કહ્યું કે, "પાકિસ્તાનને અમારા ઘરેલું મામલાઓ પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. વિશ્વના સૌથી ખરાબ માનવાધિકાર રેકોર્ડ ધરાવતા દેશ તરીકે, ખાસ કરીને જ્યારે લઘુમતી અને મહિલાઓના અધિકારોની વાત આવે છે, તો સારું રહેશે જો પાકિસ્તાન આમ કરતા પહેલાં પોતાનુ ઘર સંભાળે. દુનિયાના સૌથી મોટા લોકતંત્ર તરફ આંગળી ન ઉઠાવો."
વધુમાં, ભારતીય રાજદ્વારીએ યુએન જનરલ એસેમ્બલીમાં ભારત વિરુદ્ધ "પાયાવિહોણા અને દૂષિત પ્રચાર" કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. યુએનમાં પાકિસ્તાનને ઝાટકતા, ગેહલોતે કહ્યું કે જ્યારે ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને દૂષિત પ્રચાર ફેલાવવા માટે આ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાની વાત આવે છે ત્યારે પાકિસ્તાન એક રીઢો ગુનેગાર બની ગયું છે.
તેમણે વધુમાં કહ્યુ કે યુએનના સભ્ય રાષ્ટ્રો અને અન્ય બહુપક્ષીય સંસ્થાઓ સારી રીતે જાણે છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન તેના દેશના નબળા માનવાધિકાર રેકોર્ડ પરથી હટાવવા માટે આવું કરે છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાઓની સૌથી મોટી સંખ્યાનું ઘર ગણાવતા, ગેહલોતે પાકિસ્તાનને 2011ના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે "વિશ્વસનીય અને ચકાસી શકાય તેવી કાર્યવાહી" કરવા વિનંતી કરી.
તેમણે કહ્યું, "પાકિસ્તાન વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાઓ અને વ્યક્તિઓનું ઘર અને સંરક્ષક રહ્યું છે. ટેકનિકલ સોફિસ્ટ્રીમાં સામેલ થવાને બદલે, અમે પાકિસ્તાનને મુંબઈ આતંકવાદ હુમલાના ગુનેગારો સામે વિશ્વસનીય અને ચકાસી શકાય તેવી કાર્યવાહી કરવા હાકલ કરીએ છીએ. જેના પીડિતો 15 વર્ષ પછી પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે."
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
