ભારતના આ બે પત્રકારોને મળી શકે છે નોબલ શાંતિ પુરસ્કાર, જાણો કેમ ચર્ચામાં છે મોહમ્મદ ઝુબેર અને પ્રતિક સિંહા?
પત્રકારત્વ ક્ષેત્રે ભારતમાંથી એક મોટા સમાચાર દુનિયાભરમાં ફેલાઈ રહ્યા છે. સુત્રોનું માનીએ તો ભારતના બે પત્રકારોના નામ નોબલ શાંતિ પુરસ્કાર માટે ચર્ચાઈ રહ્યા છે.
નવી દિલ્હી : પત્રકારત્વ ક્ષેત્રે ભારતમાંથી એક મોટા સમાચાર દુનિયાભરમાં ફેલાઈ રહ્યા છે. સુત્રોનું માનીએ તો ભારતના બે પત્રકારોના નામ નોબલ શાંતિ પુરસ્કાર માટે ચર્ચાઈ રહ્યા છે. શુક્રવારે નોર્વેની રાજધાની ઓસ્લોમાં પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરાશે. રોઇટર્સના અહેવાલ અનુસાર, પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેરના નામ નોબલ શાંતિ પુરસ્કાર માટે ચર્ચાઈ રહ્યા છે.

આ બન્ને ભારતની ફેક્ટ-ચેકિંગ વેબસાઇટ Alt Newsના સ્થાપક છે. નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાની પસંદગી નોર્વેજિયન નોબેલ સમિતિના પાંચ સભ્યો દ્વારા કરવામાં આવશે. આ પાંચેય સભ્યોની નિમણૂક નોર્વેની સંસદ દ્વારા કરવામાં આવી છે. ભારતના પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થા, મ્યાનમારની રાષ્ટ્રીય એકતા સરકાર અને બેલારુસના વિપક્ષી નેતા સવિતલાના પણ ચર્ચામાં છે.
ટાઈમ મેગેઝિને પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેરને ટાંકીને લખ્યુ કે, પત્રકાર પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર ફેક્ટ ચેકિંગ વેબસાઈટ Alt Newsના સ્થાપક છે. આ બંને ભારતમાં બનાવટી ખબરોનો પર્દાફાશ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બન્ને વ્યવસ્થિત રીતે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ફેક ન્યૂઝનો અંત લાવી રહ્યા છે. જુબૈરની જૂનમાં વિવાદાસ્પદ ટ્વીટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.
નોબેલ શાંતિ પુરસ્કારની સ્થાપના 1895 માં સ્વીડિશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલ દ્વારા કરવામાં આવી હતી. આલ્ફ્રેડ નોબેલે ડાયનામાઈટની શોધ કરી હતી. નોબેલ શાંતિ પુરસ્કારને વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે. આ પુરસ્કાર તે વ્યક્તિને આપવામાં આવે છે જેણે માનવતા માટે સૌથી વધુ ફાયદાકારક કાર્ય કર્યું હોય. જાણીતા પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ પણ આ પુરસ્કાર માટે પ્રબળ દાવેદાર છે. ભારતમાંથી આ પહેલા નોબેલ શાંતિ પુરસ્કાર મિશનરીઝ ઑફ ચેરિટીઝના મધર ટેરેસા અને કૈલાશ સત્યાર્થી જીતી ચુક્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
