નેપાળમાં થયો ગમખ્વાર અકસ્માત, 13 લોકોના મોત 20થી વધુ ઘાયલ
નેપાળના કાવરેપાલચોક જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. કાવરેપાલચોક એસપીએ ANIને જણાવ્યું કે આ તમામ લોકો ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. આ લોકોને લઈ જતી બસ સાંજે સાડા છ વાગ્યે અકસ્માતન
નેપાળના કાવરેપાલચોક જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. કાવરેપાલચોક એસપીએ ANIને જણાવ્યું કે આ તમામ લોકો ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. આ લોકોને લઈ જતી બસ સાંજે સાડા છ વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટના અંગે માહિતી આપતા કાવરેપાલચોકના એસપીએ એજન્સીને જણાવ્યું કે, 'ધાર્મિક સમારોહ માટે આવેલા લોકોને લઈને જઈ રહેલી બસને સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 6.30 વાગ્યે અકસ્માત નડ્યો હતો. 20 લોકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જોકે, હાલ આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
Nepal | At least 13 dead in a road accident in Kavrepalanchok district of central Nepal
— ANI (@ANI) December 13, 2022
"The bus carrying revellers from a religious ceremony met with an accident at around 6.30 PM (Local Time). 20 people were injured & taken to hospital," Kavrepalanchok SP told ANI pic.twitter.com/soGr5Rxvb6
ભારતમાં પણ થયા અકસ્માત
ભારતમાં પણ મંગળવારે માર્ગ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં બસ પલટી જતાં મોટરસાઇકલ સવાર ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત જિલ્લાના નિગાસન કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ટાકિયા વોટર બોડી પાસે થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ખાનગી બસ, જે ખૂબ જ ઝડપે દોડી રહી હતી, તેણે મોટરસાઇકલ સવાર ત્રણ લોકોને કચડી નાખ્યા હતા અને રસ્તા પર ઉભેલા ઘણા દ્વિચક્રી વાહનોને ટક્કર માર્યા બાદ પલટી મારી ગઈ હતી. બસ પલટી જતાં 12 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.
ઢાખરવા પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ વિશાલ ઉર્ફે વીરુ (30), મુકેશ (26) અને મોનુ (15) તરીકે થઈ છે. ઘટના બાદ ખેરી જિલ્લા મેજિસ્ટ્રેટ મહેન્દ્ર બહાદુર સિંહ, ખેરીના પોલીસ અધિક્ષક સંજીવ સુમન અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અકસ્માતમાં ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો છે.
જમ્મુ કાશ્મીરમાં ખાઇમાં પડી કાર
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં મંગળવારે એક નિવૃત્ત સરકારી અધિકારી અને તેમની પત્નીનું મૃત્યુ થયું જ્યારે તેમની કાર રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી ગઈ. એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે મંગત રામ (62) અને તેમની પત્ની શકુંતલા દેવી (58) ગંડોહ સ્થિત તેમના નિવાસસ્થાનથી જમ્મુ જઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે આ દરમિયાન આ અકસ્માત જાઠી ગામ પાસે થયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
