OIC: સુષ્મા સ્વરાજે ઈસ્લામિક દેશો સામે પાકને ઘેર્યુ, ચિડાયેલા પાકે કર્યો બૉયકૉટ
વિદેશ મંત્રી ઑર્ગેનાઈઝેશન ઑફ ઈસ્લામિક કન્ટ્રીઝ એટલે કે ઓઆઈસીને સંબોધિત કર્યા છે.
વિદેશ મંત્રી ઑર્ગેનાઈઝેશન ઑફ ઈસ્લામિક કન્ટ્રીઝ એટલે કે ઓઆઈસીને સંબોધિત કર્યા છે. આ પહેલો મોકો છે જ્યારે ભારતને આ કાર્યક્રમ માટે ગેસ્ટ ઑફ ઑનર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા. સુષ્માએ અહીં આતંકવાદ પર પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો તેમજ તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધુ કે ભારતની લડાઈ કોઈ દેશ સાથે નથી. સુષ્માએ મુસલમાન દેશોને જણાવ્યુ કે ભારતની લડાઈ માત્ર અને માત્ર આતંકવાદ સામે છે.

ભારતની લડાઈ આતંકવાદ સામે
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યુ કે ઓઆઈસી દેશો સાથે ભારતના સારા સંબંધો છે. તેમણે કહ્યુ, ‘ભારતની લડાઈ આતંક સામે છે, કોઈ ધર્મ સામે નહિ. ઈસ્લામ શાંતિ શીખવે છે.' સુષ્મા સ્વરાજ આ બેઠકમાં વિશેષ અતિથિ તરીકે શામેલ થયા છે. આવુ પહેલી વાર છે જ્યારે ભારતને ઓઆઈસીની બેઠકમાં ‘વિશેષ અતિથિ' તરીકે આમંત્રિત કરવામાં આવ્યુ છે. સુષ્માએ અહીં ઋગ્વેદનો ઉલ્લેખ કર્યો. સુષ્માએ કહ્યુ, ‘ભારતે હંમેશાથી ઋગ્વેદના એક 'एकं सद्विप्रा बहुधा वदन्ति' પર વિશ્વાસ કરતુ આવ્યુ છે જેનો અર્થ છે, ‘ઈશ્વર એક છે. પરંતુ વિદ્વાનોએ તેમને અલગ અલગ રીતે વર્ણવ્યા છે.'

ધર્મના નામ પર આતંકવાદ ફેલાવી રહ્યા છે અમુક દેશ
સુષ્માએ અહીં જણાવ્યુ કે જે રીતે ઈસ્લામનો અર્થ શાંતિ થાય છે અને અલ્લાહના 99 નામોમાંથી કોઈને પણ હિંસા સાથે લેવાદેવા નથી. તે જ રીતે દુનિયાનો દરેક ધર્મ શાંતિ, પ્રેમ અને ભાઈચારીની વાત કરે છે. વિદેશ મંત્રી સુષ્માએ આતંકવાદનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે આજે અમુક લોકો ધર્મના નામ પર આતંકવાદ ફેલાવી રહ્યા છે. વિદેશ મંત્રીએ ઓઆઈસીના દેશોને અપીલ કરી કે જે દેશ ધર્મના નામ પર આતંકવાદ ફેલાવી રહ્યા છે તેમની સામે સંગઠનનો કાર્યવાહી કરવી પડસે. સંગઠનને તેમણે એ જણાવવાનું રહેશે કે આ દેશોએ પોતાના ત્યાં આતંકવાદના ઢાંચાને નષ્ટ કરવા પડશે.

પાકિસ્તાનની ખુરશી રહી ખાલી
વળી, જ્યાં સુષ્મા સ્વરાજ આ કાર્યક્રમમાં હાજર હતા ત્યાં પાકિસ્તાને આનો બૉયકૉ કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી ઓઆઈસીની સખત નારાજ છે. તેમણે ઓઆઈસીને અનુરોધ કર્યો હતો કે ભારતને અહીં ન બોલાવવામાં આવે પરંતુ ઓઆઈસીએ તેમની વાત સાંભળી નહિ અને ભારતને ગેસ્ટ ઑફ ઑનર તરીકે આમંત્રિત કર્યા. પાકિસ્તાનના વિદેશ મંત્રીની સીટ ખાલી હતી અને આ ખાલી સીટ પર સૌનું ધ્યાન ગયુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
