પરમાણુ સુરક્ષા સંમેલનમાં ભાગ લેવા મોદી પહોંચ્યા વોશિંગ્ટન
ત્રણ દેશોની વિદેશ યાત્રા પર નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યાત્રાના બીજા પડાવ રૂપે પહોંચ્યા વોશિંગ્ટન ડીસી. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં થનારા પરમાણુ સુરક્ષા સંમેલનમાં ભાગ લેશે. તે પહેલા તેમણે ભારતીય યુનિયનની સમિટમાં ભાગ લીધો હતો. અને બુધવાર રાતે બ્રસેલ્સથી અમેરિકા જવા રવાના થઇ ગયા હતા. તથા વોશિંગ્ટનમાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તે સાઉદી અરબ જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની આ બે દિવસીય યાત્રામાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સમેત વિશ્વના અનેક નેતાઓની મુલાકાત કરશે. વધુમાં પહેલી આ સંમેલનમાં પહેલી વાર હાજરી આપી રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આ કાર્યક્રમમાં પરમાણુ હથિયારોને લઇને પોતાનો મંતવ્ય આપશે. ત્યારે આજે મોદીનો શું કાર્યક્રમ છે અને બ્રેસેલમાં આતંકવાદ પર મોદીએ શું ટિપ્પણી કરી તે અંગે વધુ જાણો અહીં.

મોદી ત્રીજી વાર અમેરિકામાં
અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ત્રીજી મુલાકાત છે. જેમાં આજે તે આ સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા તમામ નેતાઓ સાથે વ્હાઇટ હાઉસમાં ડિનર લેશે. અને મુલાકાત કરશે.

અમેરિકામાં મોદીનો કાર્યક્રમ
પહેલેથી નક્કી કાર્યક્રમ મુજબ આજે વોશિંગ્ટનમાં મોદી ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન જોનને મળશે. નોંધનીય છે કે આ વખતે અમેરિકામાં મોદી ભારતીય સુમાદાયને નહીં સંબોધે.

બ્રસેલ્સમાં મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. જેમાં તેમણે એક વાર ફરી યુનાઇડેટ નેશનને અપીલ કરીકે તે આતંકવાદને પરિભાષિત કરે.

યુએનનો દુર્ભાગ્યપૂર્ણ રવૈયો
વડાપ્રધાન મોદીએ કહ્યું કે યુએન હજી સુધી આતંકવાદને વ્યાખ્યાયિત નથી કરી શક્યું. તેમણે કહ્યું કે આતંકવાદને મદદ કે શરણ આપનાર દેશો સામે જ્યારે કોઇ કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે કાનૂનના અભાવે આવું થવું અશક્ય બની જાય છે.

ધર્મ અને આંતકવાદને કોઇ સંબંધ નથી
વધુમાં મોદીએ કહ્યું કે આતંકવાદ પૂરી માનવજાત માટે ખતરા રૂપ છે. અને જે લોકો માનવતામાં વિશ્વાસ કરે છે તેમણે મળીને આની વિરુદ્ધ લડવું જોઇએ. તેમણે કહ્યું કે આતંકવાદને ખાલી બંદૂકોથી નથી હરાવી શકતો તેના માટે સમાજમાં તેવો માહોલ બને તે પણ જરૂરી છે.

9/11 પછી દુનિયા સમજ્યું આ દુખ
મોદીએ કહ્યું કે ભારત પાછલા 40 વર્ષથી આ આતંકવાદને સહન કર્યું રહ્યું છે. પણ 9/11 બાદ દુનિયા ચોકીં ગઇ. ત્યાં સુધી વૈશ્વિક શક્તિઓ તે સમજી નહતી શકી કે ભારત કેવી મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે.

સરકારની ઉપલબ્ધિઓ
મોદી કહ્યું કે જે પ્રવાસી ભારતીયો પાસે પૈન કાર્ડ નહીં હોય તેમને પણ ટીડીએસના ઊંચા દરોથી રાહત મળશે. વળી તેમણે ફ્રી વેગેઝ લિમિટ વધારવાની પણ વાત કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
