લાહોરમાં ઐતિહાસિક ગુરુદ્વારાને મસ્જિદમાં બદલવાની તૈયારીમાં પાકિસ્તાન
પાકિસ્તાન લાહોરના એક ઐતિહાસિક ગુરુદ્વારાને મસ્જિદમાં બદલવાની તૈયારી કરી રહ્યુ છે.
ટર્કીના રસ્તે ચાલીને પાકિસ્તાન લાહોરના એક ઐતિહાસિક ગુરુદ્વારાને મસ્જિદમાં બદલવાની તૈયારી કરી રહ્યુ છે. ભારતે પાકિસ્તાનના આ નિર્ણયની નિંદા કરીને પાકિસ્તાન હાઈ કમિશન પાસે આકરો વિરોધ નોંધાવ્યો છે. તમને જણાવી દઈએ કે પાકના નજીકના અને પીએમ ઈમરાન ખાનના મિત્ર ટર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્ડોગાને પણ ચર્ચ હાગિયા સોફિયાને એક મસ્જિદમાં બદલી દીધુ છે. એર્ડોગાનના આ પગલાં પર ગ્રીસે વિરોધ દર્શાવ્યો છે.

ભારતે કહ્યુ શીખો માટે પવિત્ર છે જગ્યા
ભારત તરફથી સોમવારે પાક હાઈ કમિશનમાં લાહોમાં ગુરુદ્વારા શહીદી અસ્થાન ભાઈ તારુ જીને મસ્જિદમાં ફેરવવાનો નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ, 'આજે પાકિસ્તાન હાઈ કમિશનમાં એક આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પાકિસ્તાનના લાહોરની નૌલખા બજારમાં સ્થિત ગુરુદ્વારા શહીદી અસ્તાન ભાઈ તારુ જીને મસ્જિદ શહીદ ગંજ જણાવવામાં આવી રહ્યુ છે અને આને એક મસ્જિદમાં બદલવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ જગ્યા ભાઈ તારુ જીની શહીદી જગ્યા છે અને ઐતિહાસિક છે.' અનુરાગ શ્રીવાસ્તવે આગળ કહ્યુ કે ગુરુદ્વારા શહીદી અસ્થાન ભાઈ તારુ જી એક ઐતિહાસિક સ્થાન છે કારણકે અહીં સન 1745માં ભાઈ તારુ જીએ સર્વોચ્ચ બલિદાન આપ્યુ હતુ. આ એ જ જગ્યા છે જે સીખો માટે ખૂબ પવિત્ર છે અને આ ઘટનાને ભારતમાં ચિંતાની દ્રષ્ટિએ જોવામાં આવી રહી છે.
પીએમ ઈમરાનને એક્શની અપીલ
તેમણે કહ્યુ કે પાકિસ્તાન પાસે હંમેશાથી લઘુમતી સમાજની રક્ષા અને તેમના વિકાસની માંગ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં હંમેશાથી સિખ સમાજ સાથે ખરાબ વ્યવહારના સમાચારો આવતા રહે છે. અકાલી દળના પ્રવકતા મનજિંદર સિંહ સિરસાએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ટ્વિટ કર્યુ અને માંગ કરી કે તે કટ્ટરપંથીઓ સામે એક્શન લે. તેમણે કહ્યુ કે પાકિસ્તાનના કટ્ટરપંથી આ શહીદી સ્થાનને સંપૂર્ણપણે ખતમ કરી દેવા ઈચ્છે છે. આ મૌલિક માનવાધિકારની વિરુદ્ધ છે અને એક વ્યક્તિને તેના ધર્મની આઝાદીથી રોકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
