નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ નિકાહ કર્યા
કન્યા કેળવણી માટે પ્રચારક અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ કે જેઓ વર્ષ 2012માં તેના વતન પાકિસ્તાનમાં તાલિબાન બંદૂકધારી દ્વારા 15 વર્ષની વયે ગોળી મારવામાં આવતા બચી ગઈ હતી, તેણે નિકાહ કરી લીધા છે.
કન્યા કેળવણી માટે પ્રચારક અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ કે જેઓ વર્ષ 2012માં તેના વતન પાકિસ્તાનમાં તાલિબાન બંદૂકધારી દ્વારા 15 વર્ષની વયે ગોળી મારવામાં આવતા બચી ગઈ હતી, તેણે નિકાહ કરી લીધા છે, તેણે મંગળવારના રોજ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી.

બર્મિંગહામ શહેરમાં નિકાહ કર્યા
24 વર્ષીય મલાલા હાલ બ્રિટનમાં રહે છે. મલાલાએ આ અંગે જણાવ્યું હતું કે, તેણી અને તેના નવા પતિ, જેમનું નામ તેણીએ ફક્ત આસર તરીકે રાખ્યું હતું, બર્મિંગહામ શહેરમાં નિકાહ કર્યા હતા અને તેમના પરિવારો સાથે ઘરે ઉજવણી કરી હતી.

ટ્વીટર પર કરેલી પોસ્ટમાં ચાર ફોટો મૂક્યા
મલાલાએ ટ્વિટર પર લખ્યું કે, "આજનો દિવસ મારા જીવનનો અમૂલ્ય દિવસ છે. એસર અને મેં જીવન માટે ભાગીદાર બનવા માટે નિકાહ કર્યાં હતા. તેણીની પોસ્ટમાં ચાર ફોટો પણ મૂક્યા હતા.
મલાલાએ તેમના પતિ વિશે તેમના પ્રથમ નામ સિવાય અન્ય કોઈ માહિતી આપી નથી. ઈન્ટરનેટ યુઝર્સે તેને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાઈ પરફોર્મન્સ સેન્ટરના જનરલ મેનેજર અસેર મલિક તરીકે ઓળખાવ્યા છે. જોકે, રોઇટર્સ આ વાતની પુષ્ટિ કરી શક્યું નથી.
|
હું નથી જાણતી કે હું ક્યારેય નિકાહ કરીશ કે નહીં - મલાલા
મલાલા વિશ્વના ઘણા ભાગોમાં ખાસ કરીને પશ્ચિમી દેશોમાં તેમની હિંમત, છોકરીઓ અને મહિલાઓના અધિકારોની હિમાયત કરવામાં તેમની વક્તૃત્વ માટે આદરણીય છે. પાકિસ્તાનમાં તેણીની સક્રિયતાએ લોકોના અભિપ્રાયને વિભાજિત કર્યા છે. તાજેતરમાં જ આ વર્ષે જુલાઈમાં મલાલાએ બ્રિટિશ વોગ મેગેઝિનને જણાવ્યું હતું કે, તેણીને એ વાત નથી જાણતી કે તે ક્યારેય નિકાહ કરશે કે નહીં.
મલાલાએ લાંબી પોસ્ટમાં લખ્યું હતું કે, મને હજૂ પણ એ સમજાતું નથી કે લોકોએ શા માટે નિકાહ કરવાં પડે છે. જો તમારે તમારા જીવનમાં કોઈ વ્યક્તિ રાખવાની હોય, તો તમારે નિકાહના કાગળો પર સહી શા માટે કરવી પડે છે, શા માટે તે ફક્ત ભાગીદારી ન હોય શકે? આ નિવેદન બાદ પાકિસ્તાનમાં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેની ટીકા કરી હતી.
વર્ષ 2012માં મલાલા પર હુમલો થયો હતો
24 વર્ષીય નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ પાકિસ્તાનના પેશાવરની છે. વર્ષ 2012ના તાલિબાન આતંકવાદીએ તેણીને માથામાં ગોળી મારી હતી. જ્યારે તે શાળાએ જઈ રહી હતી. જે બાદ તેને બ્રિટન લાવવામાં આવી હતી. યુકેમાં લાંબી સારવાર બાદ તે સ્વસ્થ થઈ અને ત્યારથી પાકિસ્તાનની બહાર રહે છે.
મલાલાએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ફિલોસોફી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સમાં ડિગ્રી મેળવી છે. તેમને વર્ષ 2014માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તે સૌથી નાની વયે નોબેલ વિજેતા છે.
મલાલ એક સ્પષ્ટવક્તા અને માનવ અધિકાર કાર્યકર્તા તરીકે ઓળખાય છે. ખાસ કરીને તે છોકરીઓના શિક્ષણ અને મહિલાઓના પ્રશ્નો માટે કામ કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
