26/11ની વરસી પર નવાજ શરીફ સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવશે મોદી!
નવી દિલ્હી, 26 નવેમ્બર: ભારતે સ્પષ્ટ કરી દિધું છે કે બુધવારે નેપાળમાં સાર્ક શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની પીએમ નવાજ શરીફ સાથે મુલાકાત થશે નહી. આ સાથે જ નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને ઘેરશે. 'ટાઇમ્સ નાઉ'ના અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવાજ શરીફની હાજરીમાં જ 26/11ના રોજ મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવશે.
જો કે બુધવારે અચાનકથી 26/11ના આતંકવાદના હુમલાની વરસી પણ છે. 26 નવેમ્બર 2008ના રોજ પાક્સિતાનથી આવેલા આતંકવાદીએ મુંબઇની અલગ-અલગ જગ્યાઓ પર હુમલો કરી 25 વિદેશીઓ સહિત 166 લોકોના જીવ લીધા હતા. આ હુમલામાં 304 લોકોને ઇજા પહોંચી હતી.

એવામાં નરેન્દ્ર મોદી માટે બુધવારે તક મળી જશે. સૂત્રોના અનુસાર બુધવારે સાર્ક સંમેલનમાં નરેન્દ્ર મોદી આ અવસરનો લાભ ઉઠાવશે. તે પોતાના ભાષણમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવશે. આ દરમિયાન તે 26/11નો ઉલ્લેખ કરી નવાજ શરીફને શરમાવવાનો પ્રયત્ન કરશે.
આ સાથે જ ભારતીય વિદેશ મંત્રાલયે મંગળવારે રાત્રે સાર્ક સંમેલનમાં મોદી-નવાજની મુલાકાતો પર લગાવવામાં આવતાં અનુમાનો પર એમ કહીને પૂર્ણવિરામ લગાવી દિધું છે કે બુધવારે બંનેની મુલાકાત એજંડામાં નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન ભારતના વલણથી સારી રીતે પરિચિત છે. પાકિસ્તાન દ્વારા પણ મુલાકાતને લઇને કોઇ અનુરોધ કરવામાં આવ્યો નથી.
આ પહેલાં સાર્ક સંમેલન માટે કાઠમાંડૂ પહોંચેલા પાક્સિતાનના વડાપ્રધાન નવાજ શરીફે ભારત સાથે વાતચીતની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે નવાજ શરીફે કહ્યું હતું કે તેના માટે ભારતે જ પહેલ કરવી પડશે. નવાજ શરીફે કહ્યું હતું કે પાકિસ્તાન વાતચીત માટે તૈયાર છે, પરંતુ દડો ભારતના ખોળામાં છે. નવાજ શરીફે કહ્યું 'ભારતે જ બંને દેશો વચ્ચે વિદેશ સચિવ સ્તરીય વાતચીતને ખતમ કરી દિધી હતી. એવામાં હવે પહેલ ભારતે જ કરવી પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
