ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીએ વ્યક્ત કરી અપહરણની શંકા, કહ્યુ - ગુયાના લઈ જવામાં આવી શકે છે
ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીએ પોતાનુ અપહરણ થવાની શંકા વ્યક્ત કરી છે.
નવી દિલ્લીઃ ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીએ પોતાનુ અપહરણ થવાની શંકા વ્યક્ત કરી છે. મેહુલ 23 મે, 2021ના રોજ રાતે ડિનર બાદ એંટીગુઆથી ગાયબ થઈ ગયો હતો ત્યારબાદ તે ડોમનિયામાં પકડાઈ ગયો હતો. વળી હવે મેહુલ ચોક્સીને ડર લાગી રહ્યો છે કે ક્યાંક તેનુ ફરીથી અપહરણ કરવામાં ન આવે અને તેને ગુયાના લઈ જવામાં આવે. ગુયાના તેને ગેરકાયદે અને અયોગ્ય રીતે લઈ જવામા આવી શકે છે.

ગુયાના લઈ જવામાં આવી શકે
એએનઆઈ સાથે એક વિશે ઈન્ટરવ્યુમાં ચોક્સીએ કહ્યુ કે મારુ એક વાર ફરીથી બળજબરીથી અપહરણ કરવામાં આવી શકે છે અને ગુયાના લઈ જવામાં આવી શકે છે જ્યાં એક મોટી સંખ્યામાં ભારતીયો છે જેમનો ઉપયોગ મને ગેરકાયદે અને અયોગ્ય રીતે દૂર કરવા માટે કરવામાં આવી શકે છે. મેહુલે આરોપ લગાવીને કહ્યુ કે હું વર્તમાનમાં એંટીગુઆમાં પોતાના ઘરની સીમા સુધી જ સીમિત છુ, મારી તબિયત ખરાબ રહે છે માટે હું ક્યાંય જઈ શકતો નથી અને મારા ભારતીય બંધુઓના હાથે મને જે દર્દનાક અનુભવ થયો તેના કારણે મારી સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.
ઘરમાંથી બહાર સુધી નીકળવામાં અસમર્થ
ભાગેડુ મેહુલએ કહ્યુ કે મારુ માનસિક આરોગ્ય ખૂબ ખરાબ છે માટે હું મદદ માંગી રહ્યો છુ કારણકે હું સતત ડરમાં જીવીને ભસ્મ થઈ ગયો છે. છેલ્લા અમુક મહિનાઓમાં પોતાના અનુભવોના શોકથી સ્તબ્ધ છુ. હું પોતાના ડૉક્ટરોની સલાહ છતાં પોતાના ઘરમાંથી બહાર પગ મૂકી શકવા માટે અસમર્થ અનુભવુ છુ અને હું હવે દરેક કિંમતે લાઈમલાઈટથી બચવા માંગુ છુ. મારી ખરાબ તબિયત મને જવા અને કંઈ પણ કરવાની મંજૂરી આપતી નથી.
કેસમાં પોતાની જીતની વ્યક્ત કરી આશા
મેહુલે કહ્યુ કે મારા વકીલ એંટીગુઆ અને ડોમિનિકા બંનેમાં કેસ લડી રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે હું વિજયી થઈશ કારણકે હું એક એંટીગુઆન નાગરિક છુ, જેને મારી ઈચ્છા વિરુદ્ધ એક એલગ દેશમાં અપહરણ અને મારી ઈચ્છા વિરુદ્ધ લઈ જવામા આવ્યો હતો. આ રેકૉર્ડની વાત છે કે અમુક સરકાર મારી ઉપસ્થિતિને સુરક્ષિત કરવા માટે કઈ હદ સુધી જવા માટે તૈયાર છે પરંતુ હું રાષ્ટ્ર મંડળ દેશોની કાયદા વ્યવસ્થામાં પૂર્ણ વિશ્વાસ રાખુ છુ અને મને વિશ્વાસ છે કે અંતમાં ન્યાય થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
