World Today: કેમરૂનના ઉપવડાપ્રધાનની પત્નીનું અપહરણ
દેશ-દુનિયામાં રોજેરોજ અવનવી ઘટનાઓ ઘટતી હોય છે. વનઇન્ડિયા આપને અહીં દુનિયામાં બનતી ઘટનાઓ અને સમાચારોથી અપડેટ રાખશે. 28 જુલાઇના રોજ એટલે કે આજે બનેલી તમામ ઘટનાઓ અને કાર્યક્રમોથી અપડેટ રહેવા આ ન્યૂઝને રિફ્રેસ કરતા રહો.
1.30 pm: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઇદ-અલ-ફિતરના અવસર પર દુનિયાભરના મુસ્લીમ સમુદાયને મુબારકબાદ આપતા જણાવ્યું છે કે 'તહેવાર તે તમામ મૂલ્યોની ઉજવણી કરે છે જે માનવતાને એકીકૃત કરે છે, અને તે કર્તવ્યોને પ્રોત્સાહન આપે છે જે તમામ ધર્મોના લોકોને એક-બીજા પ્રત્યે નિભાવવા જોઇએ.'
1.00pm: સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂને રવિવારે ઇઝરાઇલ અને ફિલિસ્તીન સાથે સંઘર્ષ-વિરામની મર્યાદા 24 કલાક સુધી વધારવાની અપીલ કરી છે.
12.30pm: ફિલિપાઇન્સમાં સોમવારે એક ઇસ્લામિક આતંકવાદી સંગઠન અબુ સય્યાકના હુમલામાં 16 લોકોના મોત થઇ ગયા જ્યારે અન્ય 13 લોકો ઘાયલ થઇ ગયા.
11.30am: ચીનના શેંગડોંગ પ્રાંતમાં રવિવારે એક બસ અને એક દવા છાંટવાના મશીન વાહનની વચ્ચે થયેલી ટક્કરમાં ત્રણ લોકોના મોત થઇ ગયા અને 11 લોકો ઘાયલ થઇ ગયા.
10.30am: નાઇજીરિયાના કાનો શહેરમાં ઇસાઇ વિસ્તારમાં રવિવારે બપોર બાદ થયેલા બે બોમ્બ વિસ્ફોટમાં ઓછાઓછા પાંચ લોકોના મોત થઇ ગયા છે.
10.00am: ઇટલીના રીતિ શહેરમાં રવિવારે એક લડાકૂ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું, જેમાં એક પાયલટ અને ટેકનિશિયનનું મૃત્યું થયું છે.
9.50am: ભારતની વિદેશ મંત્રી સુષમા સ્વરાજે રવિવારે નેપાળથી ભારત રવાના થતા પહેલા નેપાળમાં સરકારમાં ભાગીદાર નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી એકીકૃત માર્ક્સવાદી-લેનિનવાદી(એમાલે)ના નેતાઓ સાથે મુલાકાત કરી. સુષમાએ પોતાની નેપાળ યાત્રા બાદ જણાવ્યું કે તેમની નેપાળ યાત્રા ફળદાયી રહી.
9.30am: યમનના અબયાન પ્રાંતમાં આતંકવાદીઓએ રવિવારે બે સૈનિક છાવણી પર હુમલો કર્યો જેમાં બે સૈનિક અને 11 આતંકવાદીઓ ઠાર મરાયા.
9.10am: મિસ્રના સિનાઇ પ્રાંતમાં રવિવારે એક સૈન્ય કાર્યવાહીમાં 14 આતંકવાદીઓને ઠાર મરાયા છે.
9.00am: ચીનમાં માતમો નામના તોફાને પોતાનો કહેર વર્તાવ્યો છે. આ તોફાનમાં મરનાર લોકોની સંખ્યા 13 પર પહોંચી છે. આ તોફાનનો કહેર 8 રાજ્યો સુધી ફેલાયેલો છે. જેના કારણે 25 લાખથી પણ વધારે લોકો પ્રભાવિત થયા છે.
8.30am: ગાઝામાં યુદ્ધવિરામના ઉલ્લંઘન બાદ કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુત મૃતકાંક 1106 સુધી પહોંચ્યો છે.
8.00am: ઇસ્લામિક બોકો હરમના આતંકવાદીઓએ કેમરૂનના ઉપવડાપ્રધાન અમાડો અલીની પત્નીનું અપહરણ કરી લીધું છે. આતંકવાદીઓએ રવિવારે એક હુમલામાં આ ઘટનાને અંજામ આપ્યું. એક અધિકારીએ આ જાણકારી આપી. માહિતી અનુસાર ઇસ્લામિક સમૂહે નાઇજીરિયાઇ સીમા પાસે આવેલા કોલોફાટામાં ઉપવડાપ્રધાનના રહેઠાણ પર હુમલો કર્યો અને તેમની પત્નીનું અપહરણ કરી લીધું. આ ઘટનામાં 10 લોકો માર્યા ગયા છે.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
