આટલા બધા સમુદાયમાં વહેચાયેલા તાલિબાન કેવી રીતે સરકાર ચલાવશે?

તાલિબાન અને હક્કાની નેટવર્ક સિવાય કોઈને પણ સરકારમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જે બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બંદૂકના જોરે પણ તાલિબાન લાંબા સમય સુધી પોતાની સત્તા જાળવી શકશે નહીં.

કાબુલ : અફઘાનિસ્તાનમાં વચગાળાની તાલિબાન સરકાર નક્કી થઈ ગઈ છે અને તાલિબાને મુખ્ય મંત્રીઓની જાહેરાત કરી છે. કાબુલ કબ્જે કર્યા બાદ તાલિબાનોએ દાવો કર્યો હતો કે, તેમને એવી સરકાર બનાવશે, જેમાં દરેકનો સમાવેશ થશે, પરંતુ મંગળવારના રોજ તાલિબાન સરકારના મંત્રીઓને જોયા બાદ જાણવા મળ્યું કે, તાલિબાને પોતાનું વચન પાળ્યું નથી.

Taliban

મુસ્લિમોના ભાગોની સંખ્યાથી તેમની નારાજગીને લઈને વિભાજિત

તાલિબાન અને હક્કાની નેટવર્ક સિવાય કોઈને પણ સરકારમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ સાથે મહિલાઓને મંત્રીમંડળમાંથી દુર રાખવામાં આવી છે. જે બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બંદૂકના જોરે પણ તાલિબાન લાંબા સમય સુધી પોતાની સત્તા જાળવી શકશે નહીં. કારણ કે, તાલિબાન લાંબા સમય સુધી સરકાર ચલાવી શકશે નહીં, અફઘાનિસ્તાનના મુસ્લિમોના ભાગોની સંખ્યાથી તેમની નારાજગીને લઈને વિભાજિત છે.

વિવિધ જૂથો વચ્ચે નારાજગી

વિવિધ જૂથો વચ્ચે નારાજગી

તાલિબાન ઘણા આતંકવાદી જૂથોનું જોડાણ છે, જેને અલ કાયદા, ISIS જેવા આતંકવાદી સંગઠનો દ્વારા સમર્થન આપવામાં આવે છે. જેમ કોર્પોરેટ નોકરી હેઠળ લોકોનોકરી મેળવવા માટે એક કંપનીથી બીજી કંપનીમાં જાય છે તેવી જ રીતે આ સંગઠનોના આતંકવાદીઓ એકબીજાના સંગઠનમાં જોડાતા રહે છે. તાલિબાને 15 ઓગસ્ટનારોજ કાબુલ પર કબ્જો કર્યો હતો. જે બાદ વચગાળાની સરકાર બનાવી હતી. તાલિબાનની અંદર એક મોટું વિભાજન છે અને હક્કાની નેટવર્ક પણ પાકિસ્તાનના ઈશારેતાલિબાનને બ્લેકમેલ કરી રહ્યું છે. બીજી તરફ તાલિબાન હજૂ પણ પંજશીરમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. આ બધા વચ્ચે અફઘાનિસ્તાન સમાજના રાજકારણનુંમાળખું એવું છે કે, કોઈ એક જૂથ અફઘાનિસ્તાન પર શાસન કરી શકે નહીં.

અફઘાનિસ્તાનમાં અત્યાર સુધી જે પણ સરકાર રચવામાં આવી છે (તાલિબાન સિવાય),તેમને પોતાની સરકારમાં દરેક સમુદાયના લોકોને સ્થાન આપ્યું છે અને તેમનો પ્રભાવ સ્વીકાર્યો છે. ત્યારે જ તેમને સરકાર ચલાવવા સક્ષમ હતા. તમને આશ્ચર્ય થશે કે,અફઘાનિસ્તાનમાં ઘણા લડવૈયાઓ છે, જે તાલિબાનના કબ્જા બાદ પણ વિવિધ પ્રાંતોમાં ગવર્નર રહ્યા છે.

અફઘાન મુસ્લિમો કેટલા સમુદાયોમાં વહેંચાયેલા છે?

અફઘાન મુસ્લિમો કેટલા સમુદાયોમાં વહેંચાયેલા છે?

અફઘાનિસ્તાનના મુસ્લિમો અનેક સમુદાયોમાં વહેંચાયેલા છે અને તેમની પૌરાણિક સંસ્કૃતિ અને સાંસ્કૃતિક માળખું પણ અલગ છે. આ સમુદાયો ક્યારેય કોઈના નિયંત્રણહેઠળ રહ્યા નથી. તેમનું શાસન સ્વાયત્ત રહ્યું છે અને દરેક જૂથનો એક અલગ સરદાર છે, જેને 'વોર લોર્ડ્સ' તરીકે ઓળખવામાં આવે છે. આ 'વોર્ડ લોર્ડ્સ' ખૂબ જશક્તિશાળી હોય છે. અફઘાનિસ્તાનમાં હાજર વિવિધ સમુદાયો તેમની પરંપરાને ઘણું મહત્વ આપે છે અને તેમને પોતાના અસ્તિત્વ સાથે જોડે છે.

અફઘાનિસ્તાનમાં કુલમળીને 14 જુદા જુદા સમુદાયો રહે છે, જેમાંથી 7 આવા સમુદાયો છે, જે અફઘાનિસ્તાનના રાજકારણ અને સમાજમાં ઘણું પ્રભુત્વ ધરાવે છે. આ સમુદાયોના નામ પશ્તુન,તાજિક, હજારા, ઉઝબેક, તુર્ક, બલોચ અને નૂરીસ્તાની છે.

તાજિક સમુદાય

તાજિક સમુદાય

તાજિક સમુદાય અફઘાનિસ્તાનમાં બીજો સૌથી મોટો પ્રભાવશાળી સમુદાય છે. તેમની વસ્તી પશ્તુન કરતા ઓછી છે, પરંતુ તેમનો પ્રભાવ ઘણો વધારે છે.અફઘાનિસ્તાનમાં 40 મિલિયનની કુલ વસ્તીમાં લગભગ 27 ટકા તાજિક સમુદાય છે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ આ સમુદાયમાંથી આવે છેઅને તાજિક સમુદાયે પંજશીર ખીણ પર પ્રભુત્વ જમાવ્યું છે, તેથી તાલિબાન માટે પંજશીરમાં નિયંત્રણ કરવું સરળ નથી.

તાજિક સમુદાયના લોકો દરી ભાષા બોલે છેઅને તેમને પડોશી દેશ તાજિકિસ્તાન દ્વારા સમર્થન મેળવે છે. તાજિક સમુદાયનો ઉત્તર અફઘાનિસ્તાનમાં પંજશીર, બદખશાન સહિતના વિસ્તારોમાં ઘણો પ્રભાવ રહ્યો છે,

જ્યારે અફઘાનિસ્તાનના પશ્ચિમ વિસ્તારોમાં તેમનો ઘણો પ્રભાવ છે. તેથી તાલિબાન માટે તાજિક સમુદાયને નકારવું સહેલું નહીં હોય. તાજિક સમુદાયનો બળવોઅફઘાનિસ્તાનમાં મોટા ગૃહ યુદ્ધની શક્યતાને વધારે છે. તાલિબાનોએ તાજિક સમુદાયને તેમની સરકારમાં કોઈ સ્થાન આપ્યું નથી. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ સીઇઓઅબ્દુલ્લા અબ્દુલ્લા પણ તાજિક સમુદાયના છે, જેમને તાલિબાન દ્વારા નજરકેદમાં રાખવામાં આવ્યા છે.

હજારા સમુદાય

હજારા સમુદાય

હજારા સમુદાય તાલિબાનનું સૌથી મોટો ટારગેટ રહે છે. તાલિબાને અત્યાર સુધીમાં હજારા સમુદાયના હજારો મુસ્લિમોની હત્યા કરી છે. વસ્તીની દ્રષ્ટિએ અફઘાનિસ્તાનમાંહજારા સમુદાય આશરે 10 ટકા વસ્તી ધરાવે છે અને તે દરી બોલતો સમુદાય છે. મોટાભાગના હજારા સમુદાય મધ્ય અફઘાનિસ્તાનમાં રહે છે, જ્યાં તાલિબાનઆતંકવાદીઓએ મહાત્મા બુદ્ધની સૌથી ઉંચી પ્રતિમાનો નાશ કર્યો હતો. હજારા સમુદાયના મોટાભાગના મુસ્લિમો શિયા છે અને તાલિબાન તેમને કાફિર માને છે અનેતેથી જ તેમને સૌથી વધુ હજારા સમુદાયના લોકોને જ નિશાન બનાવે છે.

હજારા સમુદાયના લોકોના મકાનો, હોસ્પિટલ્સ, શાળાઓ, મસ્જિદો પર તાલિબાન અનેઇસ્લામિક સ્ટેટ ખોરાસનના આતંકવાદીઓ દ્વારા સતત હુમલો કરવામાં આવે છે.

ઉઝબેક સમુદાય

ઉઝબેક સમુદાય

ઉઝબેક સમુદાય અફઘાનિસ્તાનની આશરે 10 ટકા વસ્તી ધરાવે છે. ઉઝબેક સમુદાય પડોશી ઉઝબેકિસ્તાનથી પ્રભાવિત છે. ઉઝબેકિસ્તાન અફઘાનિસ્તાનના ઉત્તરમાં છેઅને ઉઝબેક સમુદાયના મુસ્લિમો પણ અફઘાનિસ્તાનના ઉત્તરમાં રહે છે. હાલમાં ઉઝબેક સમુદાયના સરદાર અબ્દુલ રશીદ દોસ્તમ છે, જેમને તાલિબાનથી પોતાનોજીવ બચાવવા ઉઝબેકિસ્તાન ભાગી ગયા હોવાનું કહેવાય છે.

બલોચ સમુદાય

બલોચ સમુદાય

બલોચ સમુદાયના લોકો પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની સરહદ નજીક રહે છે અને તેમનો પ્રભાવ અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનમાં છે. બલુચિસ્તાન એક અલગદેશ હતો, જે 1950ના દાયકામાં પાકિસ્તાન દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો અને બલુચિસ્તાનમાં આઝાદીની લડાઈ ચાલી રહી છે. બલુચિસ્તાનના સ્વાતંત્ર્ય સેનાનીઓપર પાકિસ્તાની સેના ભયંકર અત્યાચાર કરે છે અને પાકિસ્તાન સેના દ્વારા હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓ માર્યા ગયા છે. પાકિસ્તાનની સરકારે બલુચિસ્તાનના સમૃદ્ધખનીજનું ખાણકામ કર્યું છે અને એક મોટો હિસ્સો ચીનને સોંપ્યો છે.

અફઘાનિસ્તાનના બલોચ અને પાકિસ્તાનના બલોચ વચ્ચે દીકરીના સંબંધ ધરાવે છે અને બંનેબાજુના લોકો વચ્ચે સગપણ છે. તેથી બલોચ સમુદાય પણ તાલિબાન સામે યુદ્ધ લડી રહ્યો છે.

નૂરીસ્તાની સમુદાય

નૂરીસ્તાની સમુદાય

અફઘાનિસ્તાનમાં નૂરીસ્તાની સમુદાયનો પણ થોડો પ્રભાવ છે અને આ સમુદાયો ઉત્તર પૂર્વ અફઘાનિસ્તાનમાં સ્થાયી થયા છે. નૂરીસ્તાની સમુદાયના લોકો પહેલામુસ્લિમ ન હતા. 19મી સદીમાં તલવારની ધાર પર તેમને બળજબરીથી ઇસ્લામ ધર્મમાં બદલવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે, આ સમુદાયના લોકો ભારત પ્રત્યેનરમ વલણ ધરાવે છે અને આ સમુદાયના નેતા મોહમ્મદ આતા નૂરે વર્ષ 2020માં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર પણ મળ્યા હતા. તેમણે તાલિબાન સામે એકનવું સંગઠન બનાવ્યું છે અને તાલિબાને અફઘાનિસ્તાનનો કબ્જો સંભાળ્યા બાદ તે ઉઝબેકિસ્તાન ભાગી ગયા છે.

પશ્તુન સમુદાય

પશ્તુન સમુદાય

પશ્તુન સમુદાય અફઘાનિસ્તાનમાં સૌથી મોટો સમુદાય ગણાય છે અને હંમેશા આ સમુદાયનું વર્ચસ્વ રહ્યું છે. અફઘાનિસ્તાનની વસ્તી અનુસાર 40 મિલિયનની કુલવસ્તીના લગભગ 42 ટકા પશ્તુન છે, જે પશ્તો બોલે છે. છેલ્લા 300 વર્ષથી અફઘાનિસ્તાનની રાજનીતિમાં પશ્તુન્સનું વર્ચસ્વ વધ્યું છે અને એક રીતે અફઘાનિસ્તાનનીમુખ્ય ઓળખ પશ્તુન રહી છે. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અને અશરફ ગની પણ પશ્તુન સમુદાયમાંથી આવે છે. મોટાભાગના પશ્તુન સુન્ની મુસ્લિમોછે અને તેમનો સમુદાય આરબ ઇસ્લામિક રિવાજોથી ભારે પ્રભાવિત છે. પશ્તુન પર પણ તાલિબાનનું વર્ચસ્વ છે અને દક્ષિણ અને પૂર્વી અફઘાનિસ્તાન પર પશ્તુન્સનુંનિયંત્રણ રહ્યું છે. આ સાથે પાકિસ્તાનને અડીને આવેલા પ્રાંતોમાં પશ્તુનોનો ઘણો પ્રભાવ છે.

તુર્ક સમુદાય

તુર્ક સમુદાય

તુર્કમેનિસ્તાનની સરહદે અફઘાન પ્રદેશમાં તુર્ક સમુદાયના લોકો રહે છે. આ વસ્તી અફઘાનિસ્તાનના ઉત્તરીય ભાગમાં પણ રહે છે. તુર્કિક સમુદાયના લોકો પણ તાલિબાનસામે મોરચો ખોલી રહ્યા છે અને તેઓ નોર્થન એલાયન્સનું સમર્થન કરે છે. વર્ષ 1996 થી 2001 ની વચ્ચે પણ તુર્ક સમુદાયે તાલિબાનના પરસેવા છોડાવ્યા હતા અનેતુર્ક અને તાજિક સમુદાય એ સાથે મળીને આશરે 35 ટકા વસ્તી ધરાવે છે, તેથી તાલિબાન માટે આ બે સમુદાયોની અવગણના કરવી મુશ્કેલ બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X