ISIS એ કોઈ ખતરો નથી, તે એક મોટો માથાનો દુઃખાવો છે
તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાં પોતાનું શાસન જાહેર કર્યું હતું, પરંતુ હવે તાલિબાનોએ કહ્યું છે કે, ISIS અફઘાનિસ્તાન માટે માથાનો દુઃખાવો છે. જો કે તાલિબાને દાવો કર્યો છે કે, ISIS ને ખૂબ જ જલ્દી દબાવવામાં આવશે.
કાબુલ : તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાં પોતાનું શાસન જાહેર કર્યું હતું, પરંતુ હવે તાલિબાનોએ કહ્યું છે કે, ISIS અફઘાનિસ્તાન માટે માથાનો દુઃખાવો છે. જો કે તાલિબાને દાવો કર્યો છે કે, ISIS ને ખૂબ જ જલ્દી દબાવવામાં આવશે, પરંતુ આ દિવસોમાં અફઘાનિસ્તાનના ઘણા ભાગોમાં તાલિબાન અને ISIS વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

ISIS તાલિબાન માટે માથાનો દુઃખાવો છે
ટોલો ન્યૂઝ દ્વારા તાલિબાનના માહિતી અને સંસ્કૃતિ મંત્રી ઝબીઉલ્લાહ મુજાહિદને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, અમે દાઈશ (ISIS) ને ખતરો નથી માનતા, પરંતુ અમે તેને માથાનો દુઃખાવો કહીએ છીએ. તાલિબાને આ સપ્તાહની શરૂઆતમાં કાબુલના ઉત્તરીય ઉપનગરમાં ISIS સામે ઓપરેશન ચલાવામાં આવ્યું હતું. જેમાં ISIS - ખોરાસન શાખાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ISIS કેટલીક જગ્યાએ માથાનો દુઃખાવો કરે છે, પરંતુ દરેક ઘટના બાદ ISIS ના લોકોને મારવામાં આવી રહ્યા છે, અથવા તો તેઓ છૂપાઇ રહ્યા છે.

ISIS સામે અભિયાન
અફઘાનિસ્તાનમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર તાલિબાન દ્વારા ISISને નામશેષ કરવા માટે સતત ઓપરેશન કરવામાં આવી રહ્યા છે, જેમાં બંને પક્ષોના લોકો માર્યા રહ્યા છે. આત્મઘાતી બોમ્બરે ઈદગાહ મસ્જિદમાં વિસ્ફોટ કર્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઈદગાહ મસ્જિદમાં એક આત્મઘાતી બોમ્બરે પોતાને ઉડાવી દીધો હતો, જેમાં મસ્જિદમાં નમાજ પઢતા ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા હતા. ત્યારથી તાલિબાન ISIS વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર ISISના પ્રવક્તા ઝબીઉલ્લાહની માતા માટે મસ્જિદમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.

અલ કાયદા અને ISIS નું વિસ્તરણ
ગયા મહિને યુએસ લશ્કરી વડા જનરલ માર્ક મિલીએ પણ જણાવ્યું હતું કે, "વાસ્તવિક સંભાવના" છે કે, અલ કાયદા અને ISIS આગામી છથી 36 મહિનામાં અફઘાનિસ્તાનમાં ફરી સંગઠિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જો કોઈને ISIS અને અલ કાયદાનો સૌથી મોટો ખતરો છે, તો તે ખતરો તાલિબાનને જ છે, તેથી તાલિબાન ઈચ્છે છે કે, તેઓ આ બે સંગઠનોને વિકસિત થવા ન દે. જો કે, સમસ્યા એ છે કે, તાલિબાનમાં શામેલ ઘણા લડવૈયાઓ ISIS - ખોરાસન અને અલ કાયદાના છે, તેથી તાલિબાન માટે આ બંને સંસ્થાઓને રોકવી મુશ્કેલ છે. તાલિબાન માટે બીજી મોટી સમસ્યા એ છે કે, આ બે સંગઠનોના મોટાભાગના લડવૈયાઓએ અફઘાનિસ્તાન સરકાર સામેની લડાઈમાં તાલિબાનને સમર્થન આપ્યો છે અને લડવૈયાઓ વચ્ચે મિત્રતા તેમજ સગપણ છે, તેથી તાલિબાન ઓપરેશનનું પરિણામ ખાસ સફળ નહીં થાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
