ફ્લોરેન્સમાં કબરનું ખોદકામ ખોલશે 'મોના લિસા'નો રાઝ?
ફ્લોરેન્સ, 12 ઓગસ્ટ : ઇટાલીના શહેર ફ્લોરેન્સમાં વિજ્ઞાનીઓએ એક કબરનું ખોદકામ કર્યું છે. આ ખોદકામ પૂર્ણ થયા બાદ 'મોના લિસા'ના રાઝ પરથી પરદો ઉઠી શકે છે. વિજ્ઞાનીઓને આશા છે કે આ કબરમાંથી મશહૂર ચિત્રકાર લિયોનાર્દો દ વિંચીની કૃતિ 'મોના લિસા'ની પ્રેરણા રહેલી વ્યક્તિના ડીએનએ મળી શકે છે.

કોની કબર?
આ કબર લિસા ગેરાર્દિની પરિવાર સાથે સંબંધ ધરાવે છે. લિસા એક સિલ્ક એટલે કે રેશમના વેપારીની પત્ની હતી. માનવામાં આવે છે કે તેમનું સૌંદર્ય જોઇને જ લિયોનાર્દો દ વિંચીને મશહૂર ચિત્ર તૈયાર કરવાની પ્રેરણા મળી હતી.

પહેલી કેવી રીતે ઉકેલાશે?
વિજ્ઞાનીઓને આશા છે કે કબરમાંથી મળનારા ડીએનએના નમૂનાની મદદથી ગયા વર્ષે એક આશ્રમમાં મળેલા ત્રણ હાડપિંજરોની ઓળખ કરવામાં મદદ મળશે. આ આશ્રમ આ કબરની નજીકમાં જ આવેલો છે. મશહૂર તસવીર 'મોના લિસા'માં જોવા મળેલી મહિલા સદીયોથી વિજ્ઞાનીઓ અને કલા વિશેષજ્ઞો માટે એક પહેલી બની રહી છે.

ડીએનએ મેળવવા પ્રયાસ
ડીએનએ પ્રાપ્ત કરવા માટે વિજ્ઞાનીઓએ સિલ્કના વેપારી ફ્રાંસિસ્કો ડેલ જિયોકોન્ડોના પરિવારના શબ દફન કક્ષની ઉપર ચર્ચના ભોંયતળિયામાં એક ગોળાકાર કાણું પાડ્યું છે.

ડીએનએ મળ્યા બાદ શું?
લેખક અને સંશોધનકર્તા સિલ્વાનો વિંસેટી આ ડીએનએની તુલના સંત ઉરજુલાના આશ્રમ પાસે દફનાવવામાં આવેલી મહિલાઓના હાડકાં સાથે કરવા માંગે છે. અહીં જ નન લિસા ગેરાર્દિનીનું ઇ:સ 1552માં મોત થયું હતું.

દીકરાની શોધ પણ ચલાવાશે
આશા છે કે જો કબરમાંથી મળનારા ડીએનએ અને ગયા વર્ષે મળેલા હાડપિંજર વચ્ચે સરખામણી કરવામાં આવશે તો તેમાંથી કોઇ સંબંધી સાથે તે જરૂરથી મેળ ખાશે. આ દ્વારા એક પછી એક કડીઓ જોડતા તેમના દિકરા પિયારો સાથે પણ તે મેચ કરી શકાશે. આમ તેમના દીકરા સુધીની શોધ ચલાવાશે.

ડીએનએ મેચ થાય તો શું?
સિલ્વાનો વિંસેટીનું કહેવું છે કે જો એક વાર ડીએનએ મેચ થઇ જશે તો અમારા માટે આ મોટી સિદ્ધિ હશે. ત્યાર બાદ અમે લિસા ગેરાર્દિનીના ચહેરાની છબી ખોપડીના આધારે તૈયાર કરવામાં આવશે અને તેની તુલના લિયોનાર્દો દ વિંચીના મશહૂર પેઇન્ટિંગ સાથે કરવામાં આવશે.

પેઇન્ટિંગમાં શું ખાસ?
કલા વિશ્લેષકો અને નિષ્ણાતોનું માનવું છે કે વિંચીના 'મોના લિસા' પેઇન્ટિંગમાં જે સ્ત્રી છે તેના મંદ હાસ્યમાં અનેક અદાઓ છૂપાયેલી છે. આ હાસ્ય જ ચિત્રનું મુખ્ય આકર્ષણ છે. આ એક ચિત્ર તૈયાર કરતા લિયોનાર્દો દ વિંચીને અંદાજે 15 વર્ષનો સમય લાગ્યો હતો.

અત્યારે 'મોના લિસા' ચિત્ર ક્યાં છે?
ચિત્રકાર લિયોનાર્દોના મૃત્યુ બાદ આ ચિત્ર ફ્રાન્સના રાજા પાસે આવ્યું હતું. આ ચિત્ર વર્તમાન સમયમાં પેરિસના લ્રૂવ મ્યુઝિયમની શોભા વધારે રહ્યું છે.

રાઝ બહાર આવવામાં સમય
વિજ્ઞાનીઓ સકારાત્મક છે જો કે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા ઘણો સમય લાગે એમ છે અને આમ સિક્રેટ બહાર આવતા ઘણો સમય લાગશે.

હાસ્ય આવશે ખરું?
વિજ્ઞાનીઓ આશાવાદી છે, જો કે આટલા લાંબા સમયની મહેનત બાદ પણ વિજ્ઞાનીઓના ચહેરા પર સફળતાનું હાસ્ય આવવું મુશ્કેલ છે.
કોની કબર
આ કબર લિસા ગેરાર્દિની પરિવાર સાથે સંબંધ ધરાવે છે. લિસા એક સિલ્ક એટલે કે રેશમના વેપારીની પત્ની હતી. માનવામાં આવે છે કે તેમનું સૌંદર્ય જોઇને જ લિયોનાર્દો દ વિંચીને મશહૂર ચિત્ર તૈયાર કરવાની પ્રેરણા મળી હતી.
પહેલી કેવી રીતે ઉકેલાશે?
વિજ્ઞાનીઓને આશા છે કે કબરમાંથી મળનારા ડીએનએના નમૂનાની મદદથી ગયા વર્ષે એક આશ્રમમાં મળેલા ત્રણ હાડપિંજરોની ઓળખ કરવામાં મદદ મળશે. આ આશ્રમ આ કબરની નજીકમાં જ આવેલો છે. મશહૂર તસવીર 'મોના લિસા'માં જોવા મળેલી મહિલા સદીયોથી વિજ્ઞાનીઓ અને કલા વિશેષજ્ઞો માટે એક પહેલી બની રહી છે.
ડીએનએ મેળવવા પ્રયાસ
ડીએનએ પ્રાપ્ત કરવા માટે વિજ્ઞાનીઓએ સિલ્કના વેપારી ફ્રાંસિસ્કો ડેલ જિયોકોન્ડોના પરિવારના શબ દફન કક્ષની ઉપર ચર્ચના ભોંયતળિયામાં એક ગોળાકાર કાણું પાડ્યું છે.
ડીએનએ મળ્યા બાદ શું?
લેખક અને સંશોધનકર્તા સિલ્વાનો વિંસેટી આ ડીએનએની તુલના સંત ઉરજુલાના આશ્રમ પાસે દફનાવવામાં આવેલી મહિલાઓના હાડકાં સાથે કરવા માંગે છે. અહીં જ નન લિસા ગેરાર્દિનીનું ઇ:સ 1552માં મોત થયું હતું.
દીકરાની શોધ પણ ચલાવાશે
આશા છે કે જો કબરમાંથી મળનારા ડીએનએ અને ગયા વર્ષે મળેલા હાડપિંજર વચ્ચે સરખામણી કરવામાં આવશે તો તેમાંથી કોઇ સંબંધી સાથે તે જરૂરથી મેળ ખાશે. આ દ્વારા એક પછી એક કડીઓ જોડતા તેમના દિકરા પિયારો સાથે પણ તે મેચ કરી શકાશે. આમ તેમના દીકરા સુધીની શોધ ચલાવાશે.
ડીએનએ મેચ થાય તો શું?
સિલ્વાનો વિંસેટીનું કહેવું છે કે જો એક વાર ડીએનએ મેચ થઇ જશે તો અમારા માટે આ મોટી સિદ્ધિ હશે. ત્યાર બાદ અમે લિસા ગેરાર્દિનીના ચહેરાની છબી ખોપડીના આધારે તૈયાર કરવામાં આવશે અને તેની તુલના લિયોનાર્દો દ વિંચીના મશહૂર પેઇન્ટિંગ સાથે કરવામાં આવશે.
પેઇન્ટિંગમાં શું ખાસ?
કલા વિશ્લેષકો અને નિષ્ણાતોનું માનવું છે કે વિંચીના 'મોના લિસા' પેઇન્ટિંગમાં જે સ્ત્રી છે તેના મંદ હાસ્યમાં અનેક અદાઓ છૂપાયેલી છે. આ હાસ્ય જ ચિત્રનું મુખ્ય આકર્ષણ છે. આ એક ચિત્ર તૈયાર કરતા લિયોનાર્દો દ વિંચીને અંદાજે 15 વર્ષનો સમય લાગ્યો હતો.
અત્યારે 'મોના લિસા' ચિત્ર ક્યાં છે?
ચિત્રકાર લિયોનાર્દોના મૃત્યુ બાદ આ ચિત્ર ફ્રાન્સના રાજા પાસે આવ્યું હતું. આ ચિત્ર વર્તમાન સમયમાં પેરિસના લ્રૂવ મ્યુઝિયમની શોભા વધારે રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
