અફઘાનિસ્તાનમાં એક વર્ષ બાદ ભારતીય દૂતાવાસ ફરી શરૂ, અધિકારીઓ કાબુલ પહોંચ્યા!
અફઘાનિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો સ્થગિત કર્યાના એક વર્ષ અને ઓગસ્ટ 2021માં ભારતીય દૂતાવાસ બંધ થયાના એક વર્ષ પછી કાબુલમાં દૂતાવાસે તેની કામગીરી ફરી શરૂ કરી છે.
કાબુલ, 21 ઓગસ્ટ : અફઘાનિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો સ્થગિત કર્યાના એક વર્ષ અને ઓગસ્ટ 2021માં ભારતીય દૂતાવાસ બંધ થયાના એક વર્ષ પછી કાબુલમાં દૂતાવાસે તેની કામગીરી ફરી શરૂ કરી છે. આ કામગીરી ગત સોમવાર 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ ભારતીય દૂતાવાસે કાબુલમાં તેની ઓફિસને સ્થગિત કરી દીધી હતી. અધિકારીઓ પણ કાબુલ છોડી આવી ગયા હતા.

ગયા વર્ષે 15 ઓગસ્ટે અફઘાનિસ્તાનમાં સરકાર પડી ભાંગી હતી અને તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ કહાર બલ્કીએ ઈન્ડિયા ટુડે ટીવીને જણાવ્યું કે, ભારતનું રાજદ્વારી કોન્સ્યુલેટ 13 ઓગસ્ટે કામ ફરી શરૂ કરવાના ઉદ્દેશ્ય સાથે કાબુલ પહોંચ્યું હતું. અમે ભારતીય રાજદ્વારીઓનું સ્વાગત કરીએ છીએ. તેમણે અફઘાનિસ્તાનમાં સંપૂર્ણ સહયોગ અને સુરક્ષાની ખાતરી આપી છે.
તાલિબાનની આગેવાનીવાળી સરકાર ભારત સહિત તમામ પડોશી દેશો સાથે સારા સંબંધો બાંધવા આતુર છે તે વાતને રેખાંકિત કરતાં બલ્કીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં દેશ દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ અધૂરા છે. અમને આશા છે કે ભારત અફઘાનિસ્તાનના વિકાસ માટે ફરી કામ શરૂ કરશે. ભારત દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં ઘણા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, કેટલાક અડધા પૂર્ણ થયા છે અને અન્ય અડધાથી વધુ પૂર્ણ થઈ ગયા છે.
અબ્દુલ કહાર બલ્કીએ અફઘાનિસ્તાનમાં ચીને લશ્કરી મથક બનાવવાના અહેવાલો સાથે સંબંધિત તમામ દાવાઓને નકારી કાઢ્યા. બલ્કીએ કહ્યું કે તાલિબાન કેબિનેટ પડોશી દેશો સાથે રાજદ્વારી અને આર્થિક સંબંધો જાળવી રાખવા માંગે છે. તાલિબાનનું કહેવું છે કે અમે અમારી જમીનનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે થવા દઈશું નહીં. બલ્કીએ ટ્વિટર પર રાજદ્વારી સંબંધો ફરી શરૂ થવાનું સ્વાગત કર્યું અને કહ્યું કે અફઘાન સરકાર ભારત સરકારના પગલાને આવકારે છે. રાજદ્વારીઓની સુરક્ષા પર સરકાર વિશેષ ધ્યાન આપશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
