પાકિસ્તાને ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી
પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ગરમાવો સતત વધી રહ્યો છે. જ્યાં એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સુરક્ષાબળોને પુરી છૂટ આપવાની વાત કહી છે
પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ગરમાવો સતત વધી રહ્યો છે. જ્યાં એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સુરક્ષાબળોને પુરી છૂટ આપવાની વાત કહી છે, તો બીજી બાજુ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને પુલવામાં હુમલા પછી મંગળવારે કહ્યું કે જો ભારત કોઈ પણ પ્રહારનો હુમલો કરશે તો અમે પણ યુદ્ધ ઘ્વારા તેનો જવાબ આપીશુ. આ વચ્ચે ઇમરાન ખાનના એક મંત્રીએ અપ્રત્યક્ષ રૂપે પરમાણુ હુમલાની ધમકી આપી છે. પાકિસ્તાન આ પહેલા પણ ઘણીવાર પરમાણુ હુમલાની ધમકી આપી ચૂક્યું છે.
આ પણ વાંચો: પુલવામા હુમલોઃ પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન, 'યુદ્ધનો જવાબ યુદ્ધથી આપીશુ'

ના પક્ષીઓ હશે, ના મંદિરમાં ઘંટીઓ વાગશે
પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રશીદ અહમદે કહ્યું કે અમે બંગડીઓ નથી પહેરી, અમારા માટે પકિસ્તાન જીવન છે. પાકિસ્તાન સામે આંખ ઉઠાવીને જોયું તો તે આંખો કાઢી લેવામાં આવશે અને ફરી ઘાસ ઉગે, પક્ષીઓ નહિ આવે, મંદિરમાં ઘંટડીઓ નહીં વાગે કારણકે પાકિસ્તાન મુસલમાનોનો કિલ્લો છે, જેની તરફ બધા જ મુસલમાનો જોઈ રહ્યા છે. ઇમરાન ખાનના મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો અમનથી વાત કરશે તો તેઓ પણ અમનની વાત કરશે. પરંતુ જો જંગની વાત કરશે તો તેઓ પણ જંગથી જવાબ આપશે.

રશીદને બીજી સર્જીકલ સ્ટ્રાઇકની શંકા હતી
આપણે જણાવી દઈએ કે શેખ રશીદ જેમને ગયા વર્ષે કહ્યું હતું કે રાજ્યમાં થયેલા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારને કારણે લોકસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો ના કરવો પડે એટલા માટે મોદી સરકાર ફરી એકવાર સર્જીકલ સ્ટ્રાઇકનો સહારો લઇ શકે છે. તેમને કહ્યું કે મોદી અને તેની સરકારને પોતાની વોટ બેન્કને જવાબ આપવાનો છે એટલા માટે આવા સમયે પાકિસ્તાન વિરોધી કેમ્પઇન ચલાવી શકે છે.
|
કુરેશી પણ ધમકી આપી ચુક્યા છે
પુલવામાં હુમલા પછી પાકિસ્તાનના વિદેશમંત્રી કુરેશીએ ભારતને યુદ્ધનો જવાબ યુદ્ધથી આપવાની વાત કહી. આપને જણાવી દઈએ કે પુલવામાં હુમલાની જવાબદારી જૈસ-એ-મોહમ્મદે લીધી છે અને જૈસ-એ-મોહમ્મદ ક્યાંથી સંચાલિત થાય છે તેના વિશે આખી દુનિયા જાણે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
