સેના આગળ બેબસ થઈ ઈમરાન ખાન બોલ્યા- બીજું કોઈ હોત તો હાર્ટ અટેકથી મરી જાત
સેના આગળ બેબસ થઈ ઈમરાન ખાન બોલ્યા- બીજું કોઈ હોત તો હાર્ટ અટેકથી મરી જાત
ન્યૂયોર્કઃ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અત્યાર ચારો તરફથી ભારે પ્રેશરમાં છે તે તો બધા જાણે જ છે પરંતુ હવે તેમણે પોતાની એક તકલીફ જાહેર કરી દીધી છે. ઈમરાન ખાને મંગળવારે એક રિપોર્ટરે પૂછેલ સવાલના જવાબમાં ત્યાં સુધી કહી દીધું કે જો તું મારી જગ્યાએ તો તો અત્યાર સુધીમાં તો હાર્ટ અટેકથી મરી ગઈ હોત. ભલે ઈમરાન ખાને આ વાત મજાકમાં કહી હોય પરંતુ આ ટિપ્પણીથી તેમની વર્તમાન સ્થિતિ પણ જાણી શકાય છે. પાકિસ્તાન મીડિયામાં આવેલ અહેવાલો મુજબ ઈમરાન ન્યૂયોર્કના કાઉંસિલ ઑફ ફૉરેન રિલેશન્સમાં બોલી રહ્યા હતા. આ થિંક ટેંક સાથે વાતચીત કરતા ઈમરાને ભારત, અફઘાનિસ્તાન અને અન્ય પાડોસી દેશો સાથે પાકિસ્તાનના સંબંધો પર ખુલીને વાત કરી.

પીએમ બનતા જ આર્થિક સંકટ
આ વાતચીત દરમિયાન ઈમરાને કહ્યું, 'તમે તો જાણો જ છો કે એક માણસ જેણે 13 મહિના પહેલા જ પાકિસ્તાનની સત્તા સંભાળી હોય, તેની સામે સૌથી મોટો આર્થિક સંકટ પડકાર બનીને આવી જાય છે. અફઘાનિસ્તાન તરફથી અમારી સામે સમસ્યાઓ છે, તેને ઉકેલવાની કોશિશ કરી રહ્યા છીએ. ઈરાન સાથે શું થશે તે વાતને લઈ અમે પરેશાન છીએ અને સાઉદી તથા અમેરિકા સાથે પણ આ પરેશાની છે. એક તરફ ઈરાનની બોર્ડર, એક તરફ અફઘાનિસ્તાન અને એક તરફ હવે ભારત પણ. મને લાગે છે કે અત્યારે મારી સામે ઘણુંબધું છે. જો તમે મારી જગ્યાએ હોત તો શું કરત. ત્યારે તમને તો હાર્ટ અટેક જ આવી જાત.'

બસ ચીનનો થોડો સહારો
જો કે ઈમરાન ખાને આ વાતચીત દરમિયાન ચીન તરફથી મળી રહેલ સમર્થનના ખુલા દિલે વખાણ કર્યાં. તેમણે કહ્યું કે, 'જો તેમની પાસે આજે ચીનની સરકાર જેવું શાસનનું મોડેલ હોત તો તેઓ કરોડો લોકોને ગરીબીથી બહાર કાઢી ચૂક્યા હોત.' વધુમાં તેમણે કહ્યું કે જેવી રીતે ચીને ભ્રષ્ટાચાર દૂર કર્યો, તે પણ એક ઉમદા ઉદાહરણ છે. દુર્ભાગ્યથી પાકિસ્તાનમાં હું આવું કંઈ ન કરી શકું. ઈમરાને જણાવ્યું કે પાછલા પાંચ વર્ષમાં ચીનના 550 મંત્રી સ્તરના લોકોને ભ્રષ્ટાચારને પગલે જેલમાં નાખી દીધા.

મિશન કાશ્મીર પણ ફેલ થયું
ઈમરાન ખાને એ વાત પણ સ્વીકારી કે તેમનું મિશન કાશ્મીર સંપૂર્ણ રીતે ફેલ થઈ ગયું છે. ઈમરાને મંગળવારે પોતાની હાર સ્વીકારી અને કહ્યું કે કાશ્મીર પર તેમણે ભારત પર દબાણ બનાવવાનું જે કેમ્પેન શરૂ કર્યું હતું તે સંપૂર્ણ રીતે ફેલ થઈ ગયું છે. આ કેમ્પેનને બહુ ઓછી પ્રતિક્રિયા મળી જેને લઈને ઈમરાન નિરાશ છે. ઈમરાને આની પાછળ ભારત અને અબજની આબાદી વાળા બજારની અપીલને અને કાશ્મીરઓ મુસલમાન હોવાને દોષ આપ્યો. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય એટલા માટે પણ ખામોશ છે કેમ કે ભારત એક અબજ લોકોનું માર્કેટ છે અને દુખની વાત છે કે માનવતા પહેલા આ વાત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઈમરાન અને તેમના પ્રતિનિધિમંડળે દરેક મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો.

અમેરિકાનો સાથ આપવાને ભૂલ ગણાવી
આ કાર્યક્રમમાં જ ઈમરાનને પૂછવામાં આવેલ સવાલના જવાબમાં કહ્યું કે, 9/11 બાદ આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં અમેરિકાનો સાથ આપવો તેમના દેશની સૌથી મોટી ભૂલ હતી. ઈમરાને કહ્યું કે, અમે ભારત પર હુમલો ન કરી શકીએ અને આ કોઈ વિકલ્પ નથી. નિશ્ચિત રીતે આ વિકલ્પની બધી વાતો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન ઈમરાને એકવાર ફરી અપીલ કરી કે અમેરિકા તેમની સમસ્યા ઉકલેવામાં મદદ કરે.












Click it and Unblock the Notifications
