'બાંગ્લાદેશના ગરીબ ભારત આવે છે', અમિત શાહના નિવેદન પર ભડક્યા બાંગ્લાદેશના વિદેશ મંત્રી, કહ્યુ - આ ખોટો ભ્રમ છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન 'બાંગ્લાદેશના ગરીબ ભારત આવે છે' પર બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમને પોતાની પ્રતિક્રિયા આપી છે.
નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાલમાં જ પોતાના એક નિવેદનમાં બાંગ્લાદેશ પર ટિપ્પણી કરી. અમિત શાહે કહ્યુ કે બાંગ્લાદેશના ગરીબ લોકો ભારત આવે છે કારણકે તેમની પાસે પોતાના દેશમાં ભોજન માટે પૂરતો સામાન નથી હોતો. બંગાળમાં ભાજપ આવ્યા બાદ આ ઘૂસણખોરી સંપૂર્ણપણે ખતમ થવાની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આ નિવેદન પર બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને પોતાની પ્રતિક્રિયા આપી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને બુધવારે(14 એપ્રિલ) કહ્યુ છે કે બાંગ્લાદેશ વિશે ભારતના ગૃહમંત્રી પાસે સીમિત જ્ઞાન છે. તેમણે એ પણ કહ્યુ કે આ પ્રકારની ટિપ્પણી અસ્વીકાર્ય છે અને ખાસ કરીને જ્યારે બાંગ્લાદેશ અને ભારતના સંબંધો આટલા ઉંડા છે. આ રીતની ટિપ્પણી ખોટા ભ્રમ પેદા કરે છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને દાવો કર્યો છે કે ઘણી બાબતોમાં અમે ભારત કરતા સારા છે.

ભારતીય મીડિયામાં પ્રકાશિત અમિત શાહની ટિપ્પણીઓ વિશે પૂછવા પર બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમનની ટિપ્પણી મંગળવારે રાતે આવી. એકે અબ્દુલ મોમને કહ્યુ, ' દુનિયામાં ઘણા બુદ્ધિમાન લોકો છે, જે કંઈ જોયા પછી પણ જોવા નથી માંગતા, તે એને જાણ્યા બાદ પણ સમજવા નથી માંગતા. પરંતુ જો તેમણે(અમિત શાહ) આ કહ્યુ છે, તો હું કહીશ કે બાંગ્લાદેશ વિશે તેમનુ જ્ઞાન સીમિત છે. બાંગ્લાદેશમાં ભૂખથી કોઈનુ મોત નથી થતુ. બાંગ્લાદેશના ઉત્તરી જિલ્લાઓમાં બસ મોસમી ગરીબી અને ભૂખ છે.'
મોમને કહ્યુ કે, 'અમે ભારત કરતા ઘણી બાબતોમાં વધુ સારા છે. જેવી કે ભારતમાં 50 ટકાથી વધુ લોકો પાસે શૌચાલય નથી જ્યારે બાંગ્લાદેશમાં લગભગ 90 ટકા લોકો ઘણા સારા શૌચાલયોનો ઉપયોગ કરે છે.' બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમને કહ્યુ કે તેમના દેશમાં ભલે ભણેલા-ગણેલા લોકો માટે નોકરીઓ પૂરતી નથી પરંતુ ઓછા શિક્ષિત લોકો માટે એવી કોઈ કમી નથી. અમારા દેશમાં ઓછા શિક્ષિત લોકો માટે રોજગારના ઘણી અવસર છે. બાંગ્લાદેશમાં ભારતનના એક લાખથી વધુ લોકો કામ કરે છે. અમારા લોકો રોજગાર માટે ભારત નથી જતા. અમારે ભારત જવાની જરૂર નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
