લગ્ન કરીને ભાગી ગયેલી સગર્ભા બહેનને ભાઈઓએ માર્યો માર
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં શનિવારની મોડી રાત્રે નવ મહિના પહેલા નાસી ગયા બાદ પરત ફરેલા પરિણીત યુગલને મહિલાના ભાઈઓએ નિર્દયતાથી માર માર્યો હતો.
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં શનિવારની મોડી રાત્રે નવ મહિના પહેલા નાસી ગયા બાદ પરત ફરેલા પરિણીત યુગલને મહિલાના ભાઈઓએ નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટના મહિલાના પિતા અને ભાઈ દ્વારા સરા જાહેરમાં છરીના ઘા મારીને દંપતીની ભયાનક હત્યાના ચાર દિવસ બાદ આવી છે.

શનિવારના રોજ 22 વર્ષીય ગોપાલ મીઠાપરા અને તેની ગર્ભવતી પત્ની કોમલને તેના ભાઈઓ અશોક વનોડિયા અને ભરતે માર માર્યો હતો. ગોપાલ જેણે એક વર્ષ પહેલા તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપી દીધા હતા, અને તે કોમલ સાથે પ્રેમમાં પડ્યો હતો અને બંને નવ મહિના પહેલા ભાગી ગયા હતા. કારણ કે, તેમના પરિવારો તેમના સંબંધોને મંજૂર ન હતા.
બન્નેના પરિવારોએ પખવાડિયા પહેલા સમાધાન કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ દંપતી ઉપલેટા પરત ફર્યા હતા, જ્યાં તેઓ પોપટિયાપરા વિસ્તારમાં રહેતા હતા. સમાધાનની શરતો મુજબ, મીઠાપરાએ કોમલના ભાઈઓને રૂપિયા 10,000 ચૂકવ્યા હતા. જોકે, તેઓ તેમની પાસે વધુ પૈસાની માંગણી કરી રહ્યા હતા.
તપાસ અધિકારી એસ. બી. નિરંજને જણાવ્યું હતું કે, શનિવારની રાત્રે તેઓ મીઠાપરાના ઘરે ગયા અને પૈસાની માંગણી કરી હતી. જે કારણે ઝઘડો થયો હતો અને આરોપી બંનેએ તેને અને તેમની ત્રણ મહિનાની ગર્ભવતી બહેનને ધોકાથી મારવાનું શરૂ કર્યું હતું. તેના પિતા અને અન્ય પરિવારના સભ્યોએ દરમિયાનગીરી કરી અને તેમને વધુ મારથી બચાવ્યા હતા. જો તે વધુ પૈસા નહીં આપે તો બંને ભાઈઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. દંપતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 19 એપ્રીલના રોજ, રાજકોટના ઉપલેટા શહેરના વ્યસ્ત બજારમાં મંગળવારના રોજ મહિલાના પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરનારા દંપતીની જાહેરમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પીડિતોની ઓળખ અનિલ મહિડા (22) અને પત્ની રીના (18) તરીકે થઈ છે. આ દંપતી ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે રહેતું હતું.
અનિલ ભાયાવદરની કોલેજમાં અભ્યાસ કરતો હતો, ત્યાં તેની મુલાકાત રીના સાથે થઈ અને બંને પ્રેમમાં પડ્યા હતા. એક વર્ષ પહેલા તે ઘર છોડીને મહિડા સાથે રહેવા ગઈ હતી. ત્યારબાદ તેના માતા-પિતાએ તેની સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ સાત મહિના પહેલા તેને જામીન મળ્યા હતા. આ પછી રીના ફરી ઘર છોડીને તેની પાસે જતી રહી હતી. તેણીએ મહિડાના પિતા મનસુખને જણાવ્યું હતું કે, તેના પિતા સોમાજી શીંગરાળીયા અને ભાઈ સુનીલ તેના સંબંધના કારણે તેને માનસિક ત્રાસ આપતા હતા.
નાયબ પોલીસ અધિક્ષક પી. એ. ઝાલાએ જણાવ્યું હતું કે, મહિડાના માતા-પિતાએ છ મહિના પહેલા તેમના માટે કોર્ટ મેરેજ કરાવ્યા હતા. જ્યારે રીનાના પિતા અને ભાઈને લગ્નની જાણ થઈ, ત્યારે તેઓ અનિલ મહિડાના ઘરે ગયા અને તેના પિતાને ધમકી આપી હતી. મનસુખે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, બંને પુખ્ત છે, પરંતુ તેઓએ મહિડાને તક મળતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મંગળવારના રોજ મહિડા અને રીનાને દાંતમાં દુઃખાવો થતો હોવાથી ડૉક્ટરને મળવા ઉપલેટા આવ્યા હતા. જે દરમિયાન કોઈએ તેના પિતા અને ભાઈને જાણ કરી હતી, જેમણે તેમને ગાંધી ચોક નજીક બજારમાં જોયા હતા. બંનેએ દંપતીને અટકાવ્યું અને તેમને છરીઓ વડે મારવાનું શરૂ કર્યું અને બંનેને પાઈપ વડે માર માર્યો હતો. પોલીસે શીંગરાળીયાની અટકાયત કરી છે જ્યારે સુનીલ હજુ પકડાયો નથી.












Click it and Unblock the Notifications
