રાજકોટ: ઘંટેશ્વર ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ, સૌરભ પટેલના હસ્તે ધ્વજ વંદન
રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ઘંટેશ્વર ખાતે રાખવાનો નિર્ણય લીધો છે. જેમા ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામા આવશે. આ સાથે કોવિડની ગાઇડલાઇનનું પાલન કરીને સ
રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ઘંટેશ્વર ખાતે રાખવાનો નિર્ણય લીધો છે. જેમા ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામા આવશે. આ સાથે કોવિડની ગાઇડલાઇનનું પાલન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામા આવ્યુ છે.

આ સ્વાતંત્ર્ય પર્વે ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી અપાશે. મંત્રીશ્રીના ઉદ્દબોધન બાદ કોરોના વોરિયર્સનું અભિવાદન કરશે. આ ઉપરાંત અહી વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ પર્વની ઉજવણી અન્વયે 13મી ઓગસ્ટનાં રોજ રીહર્સલ થશે તેમાં સબંધિત ખાતા-કચેરીના અધિકારીઓને ખાસ ઉપસ્થિત રહેવા પણ નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જાણાવ્યું હતું.
15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થવાની છે. જ્યા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ધ્વજવંદન કરવામા આવશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે પંચમહાલ ખાતે અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે વલસાડમાં ધ્વજવંદન કરવામા આવશે.
દરમિયાન રાજકોટમાં જિલ્લાકક્ષાની ઉજવણી ઘંટેશ્વરમાં રાખવામા આવી છે. આજે કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી મીટીંગમાં નિર્ણય જાહેર કરાયો હતો. રાજ્યભરમાં અલગ અલગ સ્થળે કેબીનેટ મંત્રી અને રાજ્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં 15મી ઓગસ્ટની ઉજવણીનો કાર્યક્રમ ઘડવામા આવ્યો છે.
આટલા કેબીનેટ મંત્રી-રાજ્યમંત્રી આ જગ્યાએ ઉપસ્થિત રહેશે
રાજ્યભરમાં જિલ્લાકક્ષાની ઉજવણીમાં કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ કચ્છમાં, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સુરતમાં, કૌશિકભાઇ પટેલ સાબરકાંઠામાં, સૌરભભાઇ પટેલ રાજકોટમાં, ગણપતસિંહ વસાવા દાહોદમાં, જયેશ રાદડિયા ભાવનગરમાં, દિલીપકુમાર ઠાકોર ભરૂચમાં, કુંવરજીભાઇ બાવળિયા મહેસાણામાં જવાહરભાઇ ચાવડા જામનગરમાં જ્યારે રાજ્ય મંત્રીઓમાં પ્રદીપસિંહ જાડેજા વડોદરામાં, બચુભાઇ ખાબડ ખેડામાં, જયદ્રથસિંહ પરમાર સુરેન્દ્રનગરમાં, ઇશ્વરસિંહ પટેલ અમરેલીમાં, વાસણભાઇ આહીર બનાસકાંઠામાં, વિભાવરીબેન દવે અમદાવાદમાં, રમણલાલ પાટકર નવસારીમાં, કિશોરભાઇ કાનાણી છોટાઉદેપુરમાં, યોગેશભાઇ પટેલ આણંદમાં અને ધર્મેન્દ્રસિંહ જાડેજા મોરબીમાં ધ્વજવંદન કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
