NEET UG Row: રાજકોટમાં NEETની પરીક્ષા ફરી લેવા સામે વિદ્યાર્થીઓએ કર્યું વિરોધ પ્રદર્શન
NEET UG Row: NEET UG પરીક્ષામાં કથિત ગેરરીતિઓને લઈને વિવિધ સ્થળોએ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે. કેટલાક વિદ્યાર્થીઓ પુનઃ પરીક્ષાની માંગ કરી રહ્યા છે, તો કેટલાક પુનઃ પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે.
રવિવારના રોજ રાજકોટમાં પણ વિદ્યાર્થીઓએ પુનઃ પરીક્ષાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓ કહે છે કે, તેઓએ સખત મહેનત કરીને પરીક્ષા આપી હતી, અને માર્ક્સ મેળવ્યા હતા, તેથી ફરીથી પરીક્ષા ન આપવી જોઈએ.
NEET-UG ની ઉમેદવાર પલક એ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું હતું કે, મેં NEET-UG પરીક્ષામાં 682 માર્ક્સ મેળવ્યા છે. ફરીથી પરીક્ષા ન આપવી જોઈએ. કારણ કે, અમે સખત મહેનત અને સમર્પણ સાથે આ ગુણ પ્રાપ્ત કર્યા છે.
જે વિદ્યાર્થીઓએ 600થી ઓછા માર્કસ મેળવ્યા છે, તેઓ NEET ફરીથી કરાવવાની માંગ કરી રહ્યા છે. 1.5 મહિનાના અંતરાલ પછી ફરીથી સારો સ્કોર કરવો સરળ રહેશે નહીં. આ અમારા ભવિષ્ય સાથે રમવા જેવું છે.

પરિણામોમાં ભૂલો બહાર આવી - અત્રે નોંધનીય છે કે, NEET-UG 2024ની પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 5 મેના રોજ લેવામાં આવી હતી. જ્યારે તેનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું.
પરિણામ બાદ ગેરરીતિઓ અને પેપર લીકના આક્ષેપોને લઈને હોબાળો થયો હતો. પરિણામોમાં બહાર આવ્યું છે કે, 67 વિદ્યાર્થીઓએ 720 માર્ક્સ સાથે પરીક્ષામાં ટોપ કર્યું છે. આ પછી, સુપ્રીમ કોર્ટે 1,500 થી વધુ વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષાની મંજૂરી આપી હતી, જેમને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા.
કેન્દ્રની કાર્યવાહી - આ દરમિયાન, પરીક્ષા સ્થગિત કરવાને લઈને ઘણા રાજ્યોમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે, કેન્દ્ર સરકારે કડક પગલાં લીધા અને NTAના મહાનિર્દેશક સુબોધ કુમાર સિંહને હટાવ્યા હતા.
તેમના સ્થાને પ્રદીપ સિંહ ખારોલાને NTAના નવા ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સરકારે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
#WATCH | A NEET-UG candidate, Palak says "I have scored 682 marks in the NEET-UG exams. There should be no Re-NEET exams as we have scored these marks with hard work and dedication. The students who have scored below 600 marks are demanding for Re-NEET..." pic.twitter.com/cKNGTzwIUn
— ANI (@ANI) June 23, 2024
ઉચ્ચ સ્તરીય સમિતિની રચના - શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓના પારદર્શક અને નિષ્પક્ષ સંચાલનને સુનિશ્ચિત કરવા ISRO અને IIT કાનપુરના પૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં નિષ્ણાતોની એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે.
આ ઉપરાંત, NEET UG પરીક્ષા 2024માં કથિત ગેરરીતિઓની તપાસ પણ CBIને સોંપવામાં આવી છે. સરકારે આશ્વાસન આપ્યું છે કે પરીક્ષા સંબંધિત કોઈપણ ગેરરીતિમાં સામેલ કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
#WATCH | Students in Rajkot, Gujarat hold a protest against the re-examination of NEET-UG exam. pic.twitter.com/rStVjMqqG3
— ANI (@ANI) June 23, 2024












Click it and Unblock the Notifications
