Junagadh News: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધી, કેરીના ભાવમાં થશે ઘટાડો
Junagadh News: ઉનાળો આવતાની સાથે જ લોકો કેરી ખાવા માટે તલપાપડ રહે છે. હાલ કેરી પ્રેમીઓ માટે અતિ સારા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળાની સિઝન શરૂ થતા જ કેરીની આવક શરૂ થઈ રહી છે.
આજ રોજ એક જ દિવસમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 14000 કેરીના બોક્સની આવક નોંધાઇ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થવાની સાથે જ કેરીના ભાવમાં પણ ધટાડો નોંધાઇ રહ્યો છે.
કેરીની સિઝન થવાની સાથે જ તાલાલા ગીરની કેસર કેરી માટે સમગ્ર દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં કુલ બે લાખથી પણ વધારે બોક્સની આવક થઈ છે.

વર્તમાન સમયમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રોજની કેરીની આવકમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. આજ રોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક 14000 કેરીના બોક્સની આવક થઇ છે.
કેરીની સિઝન શરૂ થવાની સાથે જ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સના ભાવ 1100 થી લઈને 2500 સુધી બોલાઈ રહ્યો હતો. જે હવે ઘટીને કેરીના બોક્સના ભાવ 750 થી લઈને 1100 સુધી હરાજીમાં બોલાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હવે 15 થી 20 દિવસ કેરીની મોસમ રહેશે, ત્યાં સુધીમાં ભાવમાં થોડો ઘટાડો નોંધાય તેવી શક્યતા વધારે છે.












Click it and Unblock the Notifications
