કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા મૃતકો માટે દ્વારકામાં ભાગવત કથા યોજાશે
કોરોના મહામારીમાં અસંખ્ય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાની બીજી લહેરની કલ્પના માત્રથી આજે ઘણા પરિવારો કમકમી જાય છે. બીજી લહેર વખતે ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા.
દ્વારકા : કોરોના મહામારીમાં અસંખ્ય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાની બીજી લહેરની કલ્પના માત્રથી આજે ઘણા પરિવારો કમકમી જાય છે. બીજી લહેર વખતે ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. ઘણા લોકો એવા છે જેમના પરિવાર આ મહામારીમાં વિખેરાઈ ગયા છે. આ ઉપરાંત અનેક લોકોના મોત એવી હાલતમાં થયા છે કે તેમની પાછળ અંતિમ વિધિ કરવા વાળુ પણ કોઈ રહ્યું નથી. ત્યારે હવે આવા મૃતકોના આત્માની શાંતિ માટે દ્વારકામાં શ્રી ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવનારા છે.

દ્વારકા ખાતે કોરોનામાં મોતને ભેટેલા લોકોના આત્માની શાંતિ માટે શ્રી ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવશે. આ પારાયણમાં કોરોનામાં મોતને ભેટેલા મૃતકો માટે મોક્ષ માટે પ્રાથના કરવામાં આવશે. આ કથાનું આયોજન આવા આત્માઓની શાંતિ અને પિતૃઓના મોક્ષ માટે કરવામાં આવ્યુ છે. આ કથાનું આયોજન જાન્યુઆરી મહિનામાં કરવામાં આવશે.
આ કથાના આયોજન માટે આજે દ્વારકા ખાતે સાધુ સંતોની બેઠક યોજાઈ હતી. દ્વારકાના શારદા મઠ ખાતે યોજાયેલી આ બેઠકમાં આગામી આયોજન માટેની ચર્ચા કરવામાં આવી હતી. આ કથામાં પિતૃઓના મોક્ષ માટે પરિવારના સભ્યો જોડાઈ શકે છે. તેના માટેના તમામ આયોજનની ચર્ચા આજની બેઠકમાં કરવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
