શપથગ્રહણ સમારંભ માટે યોગી આદિત્યનાથે કર્યો મુલાયમ, અખિલેશ અને માયાવતીને ફોન, પર્સનલી આપ્યુ આમંત્રણ
ઉત્તર પ્રદેશના કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારંભ માટે કોને-કોને આમંત્રણ મળ્યુ છે, જાણો.
લખનઉઃ ઉત્તર પ્રદેશના કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારંભને ભવ્ય બનાવવાની બધી તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. શુક્રવારે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પદના શપથ લઈને પોતાના બીજા કાર્યકાળની શરુઆત કરશે. આ દરમિયાન સમાચાર છે કે યોગી આદિત્યનાથે મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીને ફોન કરીને શપથ ગ્રહણ સમારંભમાં આવવાનુ આમંત્રણ આપી દીધુ છે. જો કે, આ ત્રણે નેતા આજના કાર્યક્રમમાં શામેલ થશે કે નહિ એ જોવાની વાત રહેશે.

કોને-કોને મળ્યુ છે આમંત્રણ
તમને જણાવી દઈએ કે યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારંભ માટે તમામ વિપક્ષી નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. આમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધીનુ પણ નામ શામેલ છે. મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવે પણ ઔપચારિક રીતે આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. આ ઉપરાંત ઘણા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર્સને પણ શપથ ગ્રહણમાં આવવાનુ આમંત્રણ મોકલવામાં આવ્યુ છે.
શપથ ગ્રહણમાં જઈ શકે છે મુલાયમ!
તમને જણાવી દઈએ કે યોગીના શપથ ગ્રહણ સમારંભમાં મુલાયમ સિંહ યાદવના શામેલ થવાની અટકળો લગાવવામાં આવી રહી છે કારણકે આ શપથ ગ્રહણમાં તેમની વહુ અપર્ણા યાદવ પણ હશે. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે મુલાયમ અહીં ઉપસ્થિત હોઈ શકે છે. વળી, અખિલેશના શપથ ગ્રહણમાં આવવા અંગે સસ્પેન્સ છે કારણકે અખિલેશે મીડિયા સાથે વાત કરીને પહેલા જ કહ્યુ હતુ કે તેમને ના તો બોલાવવામાં આવશે અને બની શકે તે જાય પણ નહિ.
સાંજે 4 વાગે શપથ લેશે યોગી
તમને જણાવી દઈએ કે યોગી આદિત્યનાથ શુક્રવારે એટલે કે આજે સાંજે 4 વાગે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આના માટે તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. ગુરુવારે લખનઉના લોકભવનમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક થઈ જેમાં યોગી આદિત્યનાથને ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવ્યા. ત્યારબાદ યોગીએ રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
