કર્ણાટકમાં બાગી યેદિયુરપ્પાની કારકિર્દી ખતમ!
(નવીન નિગમ) કર્ણાટક ચૂંટણીનું પરિણામ આવી ગયુ, બધાને જાણ હતી કે કોંગ્રેસ સરકાર બનાવશે. ભાજપે કંઇક વધારે ખરાબ પ્રદર્શન કર્યું પરંતુ ભાજપના ખરાબ પ્રદર્શન પાછળ એજ વ્યક્તિ હતા જે તેને ત્યાં સુધી લઇને આવ્યા હતા. જીહાં અમે વાત કરી રહ્યાં છીએ કર્ણાટકના સૌથી શક્તિશાળી નેતા યેદિયુરપ્પાની.
અહીં તેમને શક્તિશાળી એટલા માટ લખવામાં આવી રહ્યાં છે કારણ કે આજે કોંગ્રેસ અને ભાજપમાં કોઇ એવા નેતા નથી જે પાર્ટી બહાર થયા પછી પણ એટલી જ શક્તિ દર્શાવતા હોય કે તે પોતાના જોરે 12થી 15 બેઠકો લાવી શકે છે અને પોતાની મૂળ પાર્ટીના મતો ખરાબ રીતે કાપી શકે છે. યેદિયુરપ્પાએ અત્યારસુધી જે કર્યું તે એક વિદ્રોહી સેનાપતિ કરે છે, પરતુ યેદિયુરપ્પાનું સંકટ હવે શરૂ થાય છે. આવા બાહુબલી દ્વારા વિદ્રોહ કરવામાં આવ્યા બાદ પહેલી ચૂંટણી સુધી તો તે છવાયેલા રહ્યાં પરંતુ સત્તાના અભાવના કારણે તે પાર્ટી ઉભી કરી શક્યા નહીં અને ગુમનામીના અંધારામાં જતા રહ્યા છે.

તેમાં બસ મુલાયમ સિંહ એક અપવાદ છે જે જનતા દળથી બહાર આવ્યા બાદ યુપીમાં સમાજવાદી પર્ટી બનાવ્યા બાદ તેને પ્રદેશમાં સ્થાપિત પણ કરી શક્યા અને આજે એ જ પાર્ટી સત્તામાં છે. અહીં મુલાયમ સિંહ યાદવનું ઉદાહરણ એટલા માટે આપવામાં આવ્યું છે, કારણ કે જ્યારે ભાજપ મંદિર મુદ્દે પોતાની સરકાર કુરબાન કર્યા બાદ મોટા ભરોસા સાથે બેઠું હતુ કે આગામી સરકાર તે જ બનાવશે તો તેને મુલાયમ બસપા સાથે સમજૂતિ કરીને મોટી ચુતારઇ કરી અને બાદમાં ભાજપ, બસપા પાસે જતા પ્રદેશમાં પોતાને નંબર વન સાબિત કર્યું. નહિતર મુલાયમ સિંહ પણ ઉપર આપવામાં આવેલા નામોમાના એક હોત.
મુલાયમ સિંહ યાદવ 1993માં સરકાર બનાવવા માટે કાશિરામ પાસે સમર્થન લેવા જઇ રહ્યાં હતા તો તેમને આદર્શ જનેશ્વર મિશ્રએ રોક્યા હતા, તેમણે કહ્યું કે કોની પાસે જઇ રહ્યાં છો કાશીરામજીને નથી જાણતા, ત્યારે મુલાયમ સિંહે જવાબ આપ્યો હતો કે આ સમયે સત્તા હાંસલ ના કરી તો પાર્ટીને ક્યારેય પણ ઉભી નહીં કરી શકું. યેદિયુરપ્પાએ જો પોતાને કર્ણાટકમાં યથાવત રાખવા છે તો તે ભાજપમાં પરત ફરી જાય અથવા તો પછી સત્તામાં સામેલ થઇ જાય, નહીંતર આગામી ચૂંટણી સુધીમાં તે પણ કર્ણાટકના રાજકારણમાંથી ગાયબ થઇ જશે અને ભાજપના બીજા કલ્યાણ સિંહ કહેવાશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
