Wrestler Protest: પહેલવાનોએ ખતમ કર્યા ધરણા પ્રદર્શન, તપાસ થવા સુધી WFIના કામોથી અળગા રહેશે બૃજભૂષણ
ભારતના મોટા પહેલવાનોએ સરકાર પાસેથી આશ્વાસન મળ્યા બાદ શુક્રવારે મોડી રાતે પોતાના ધરણા ખતમ કરી દીધા.
Wrestler Protest: દિલ્લીના જંતર-મંતર પર છેલ્લા બે દિવસોથી પ્રદર્શન કરી રહેલા ભારતના મોટા પહેલવાનોએ સરકાર પાસેથી આશ્વાસન મળ્યા બાદ શુક્રવારે મોડી રાતે પોતાના ધરણા ખતમ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ઓલિમ્પિક સંઘ(IOA)એ WFI પ્રમુખ બૃજભૂષણ શરણસિંહ સામે યૌન ઉત્પીડનના આરોપીની તપાસ માટે 7 સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ કુશ્તી મહાસંઘના અધ્યક્ષ પર લાગેલા આરોપોની તપાસ કરીને પોતાનો રિપોર્ટ સોંપશે. ગુરુવારે પછી શુક્રવારે પણ પહેલવાનો સાથે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરની બેઠક થઈ, જે બાદ પહેલવાનોએ પોતાના ધરણા ખતમ કરી દીધા છે.

પહેલવાનોની ફરિયાદોના સમાધાનના પ્રથમ પગલાં રુપે બૃજભૂષણ શરણ સિંહને અધ્યક્ષ પદની જવાબદારીઓથી અલગ કરવામાં આવ્યા છે. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાન બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સાથે થયેલી ચર્ચાને લઈને મીડિયા સામે પોતાનુ નિવેદન આપીને કહ્યુ કે, 'અમે છેલ્લા 7 કલાકથી વાત કરી રહ્યા છે, ખેલાડીઓ પોતાની માંગ જણાવી છે. કુશ્તી મહાસંઘના પ્રમુખ બૃજભૂષણ સિંહ ઓવરસાઈટ સમિતિ દ્વારા તપાસ પૂરી થવા સુધી પદથી હટી જશે અને તે તપાસમાં સામેલ થશે. તપાસ પૂરી થવા સુધી ડબ્લ્યુએફઆઈની રોજે-રોજની ગતિવિધિઓ પર એક સમિતિ નજર રાખશે.'
મેરેથોન બેઠક બાદ અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યુ કે, 'એક તપાસ સમિતિ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના નામોની ઘોષણા શનિવારે કરવામાં આવશે. સમિતિ ચાર સપ્તાહમાં તપાસ પૂરી કરશે. તે ભારતીય કુશ્તી મહાસંઘ અને તેમના અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહ સામે ભ્રષ્ટાચાર અને યૌન ઉત્પીડનના બધા આરોપોની ગંભીરતાથી તપાસ કરશે. ત્યાં સુધી ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ સિંહ પોતાને દૈનિક કાર્યકલાપથી અલગ રાખશે અને તપાસમાં સહયોગ કરશે.'
અનુરાગ ઠાકુરના આ નિર્ણય પછી પહેલવાનોએ પોતાના ધરણા ખતમ કરી દીધા. પહેલવાન બજરંગ પુનિયાએ કહ્યુ કે, બધા ખેલાડીઓને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આશ્વાસન આપ્યુ છે. બધાને સમજાવ્યા પણ છે...અમે ખેલાડીઓ પોતાનુ આંદોલન બધુ કરી રહ્યા છે કારણકે અમને સરકારે આશ્વાસન આપ્યુ છે. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે. તમને જણાવી દઈએ કે આ ધરણામાં ભારતના લગભગ બધા મોટા પહેલવારો સહિત યુવા ખેલાડી હાજર હતા. તેમણે ભારતીય કુશ્તી મહાસંઘ અને તેમના અધ્યક્ષ સામે યૌન ઉત્પીડન અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
