સાક્ષીએ માલેગાંવ બ્લાસ્ટમાં ઉપયોગ થયેલી પ્રજ્ઞાની બાઈક ઓળખી
2008 ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટના કેસમાં, કેટલાક ડેવલોપમેન્ટ સામે આવ્યા છે. હકીકતમાં, એક સાક્ષીઓએ વિસ્ફોટના દિવસે ત્યાં સ્થાયી બાઇકની ઓળખ કરી હતી.
2008 ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટના કેસમાં, કેટલાક ડેવલોપમેન્ટ સામે આવ્યા છે. હકીકતમાં, એક સાક્ષીઓએ વિસ્ફોટના દિવસે ત્યાં સ્થાયી બાઇકની ઓળખ કરી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા કોર્ટમાં બે બાઇક અને 5 સાઇકલ રજૂ કરવામાં આવી હતી. સાક્ષીએ તેમાંના એકને ઓળખી કાઢ્યું છે, જ્યારે વિસ્ફોટ થયો તે દિવસે બાઇક ઊભી હતી. બધા બાઇકો અને સાયકલ ઓળખવા માટે ટેમ્પોમાં લાવવામાં આવી હતી અને સાક્ષીને ઓળખવા માટે ટેમ્પોમાં ચઢાવી દેવામાં આવ્યો હતો. એનઆઈએ વિશેષ ન્યાયાધીશ વિનોદ પદાલકર ઘ્વારા પણ મોબાઇલ ટોર્ચ લાઇટમાં બાઇકો જોવામાં આવી હતી.

રજુ કરવામાં આવેલા પુરાવા વચ્ચે એક પુરી રીતે નષ્ટ થયેલી બાઈક હતી, જેને મુંબઈની એન્ટી-ટેરેરિસ્ટ સ્ક્વોડ અનુસાર વિસ્ફોટનું કારણ માનવામાં આવી રહ્યું છે. આરોપ છે કે બાઈક ભાજપના ભોપાલથી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરની છે. બાઇકનો પાછળની ભાગ પુરી રીતે નષ્ટ થયો હતો પરંતુ ફ્રન્ટ લાઈટ કવર લગભગ ઠીક હાલતમાં હતું. બાઈક પર લખેલો શબ્દ "ફ્રીડમ" સાફ દેખાઈ રહ્યો છે. આરોપ છે કે ધમાકા દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક તરફ હવે જયારે બાઈકની ઓળખ થઇ ચુકી છે ત્યારે હવે પ્રજ્ઞા સિંહ ઠાકુરે સાબિત કરવું પડશે કે ધમાકા સમયે તેમને બાઈક સાથે કોઈ લેવાદેવા નથી.
આ પણ વાંચો: સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના શપથ પર વિવાદ, પોતાના નામમાં ગુરુનું નામ સામેલ કર્યું હતું
પ્રજ્ઞા ઠાકુર સહીત લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર દ્વિવેદી, અજય રહિરકર, સમીર કુલકર્ણી અને સુધાકર ચતુર્વેદીને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે છે. ઘણી ધારાઓ હેઠળ આ લોકો સામે આક્ષેપો છે. આ વિસ્ફોટમાં છ લોકો માર્યા ગયા હતા અને એક ડઝન અન્ય ઘાયલ થયા હતા. હાલમાં જામીન પર બહાર પ્રજ્ઞા ઠાકુર, મધ્યપ્રદેશના ભોપાલ મતક્ષેત્રમાંથી કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ સામે ચૂંટણી લડ્યા બાદ લોકસભાની ચૂંટણી જીતી છે.
આ પણ વાંચો: સાધ્વી પ્રજ્ઞાનો દાવો, ગૌમૂત્ર પીવાથી મારુ કેન્સર મટી ગયું
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
