શું ફ્રી સ્કિમ બંધ થઇ જશે? રાજ્યોની હાલત ખરાબ હાલત વિશે વડાપ્રધાને આપી અપડેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં, કેટલાક અધિકારીઓએ ઘણા રાજ્યો દ્વારા જાહેર કરાયેલી લોકપ્રિય યોજનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી.
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં, કેટલાક અધિકારીઓએ ઘણા રાજ્યો દ્વારા જાહેર કરાયેલી લોકપ્રિય યોજનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી અને દાવો કર્યો હતો કે, તે આર્થિક રીતે સક્ષમ નથી અને તેમને શ્રીલંકાના માર્ગ પર લઈ જઈ શકે છે.

વડાપ્રધાન મોદી સાથે 4 કલાક સુધી મુલાકાત ચાલી
PM મોદીએ શનિવારના રોજ તેમના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ પર તમામ વિભાગોના સચિવો સાથે ચાર કલાક લાંબી બેઠક યોજી હતી. રાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર અજીત ડોભાલ, વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા અને કેબિનેટ સચિવ રાજીવ ગૌબા ઉપરાંત કેન્દ્ર સરકારના અન્ય ટોચના અધિકારીઓ પણ બેઠકમાંહાજર રહ્યા હતા.

એક મોટા દ્રષ્ટિકરણ અપનાવો
સૂત્રોએ જણાવ્યું કે, મીટિંગ દરમિયાન વડાપ્રધાન મોદીએ અધિકારીઓને સ્પષ્ટપણે ખામીઓનું સંચાલન કરવાની માનસિકતામાંથી બહાર નીકળવા અને અતિરેકનુંસંચાલન કરવાના નવા પડકારનો સામનો કરવા જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ તેમને મોટી વિકાસ યોજનાઓ હાથ ન લેવાના બહાના તરીકે 'ગરીબી'ને ટાંકવાનીજૂની વાર્તા છોડી દેવા અને મોટો અભિગમ અપનાવવા જણાવ્યું હતું.

એક ટીમ તરીકે કામ કરવું જોઈએ
કોવિડ 19 રોગચાળા દરમિયાન સચિવોએ એક ટીમ તરીકે જે રીતે કામ કર્યું તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તેઓએ ભારત સરકારના સચિવતરીકે કામ કરવું જોઈએ, માત્ર પોતપોતાના વિભાગોના સચિવો તરીકે નહીં. અને તેઓએ એક ટીમ તરીકે કામ કરવું જોઈએ.
તેમણે સચિવોને પ્રતિસાદ આપવા અને સરકારની નીતિઓમાં રહેલી છટકબારીઓને દૂર કરવા માટેના સૂચનો આપવા પણ કહ્યું, જેમાં તેમના સંબંધિત મંત્રાલયો સાથે સંબંધિત નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે 24 થી વધુ સચિવોએ વડાપ્રધાન મોદીને તેમના વિચારો પહોંચાડ્યા હતા.

2014 બાદ સચિવો સાથે વડાપ્રધાને નવમી બેઠક યોજી
ઉલ્લેખીય છે કે, 2014 થી સચિવો સાથે વડાપ્રધાનની આ નવમી બેઠક હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, બે સચિવોએ આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા રાજ્યમાંતાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં જાહેર કરાયેલી લોકપ્રિય યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે અન્ય રાજ્યોમાં પણ સમાન યોજનાઓ ટાંકીને કહ્યું કે તે આર્થિક રીતેટકાઉ નથી અને તે રાજ્યોને શ્રીલંકાના માર્ગ પર લઈ જઈ શકે છે.

લોકોને ઈંધણ, રાંધણગેસ માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે
શ્રીલંકા હાલમાં ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લોકોને ઈંધણ, રાંધણગેસ માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે, જીવનજરૂરી વસ્તુઓનોપુરવઠો ઓછો છે.
તેમજ અઠવાડિયા સુધી લાંબા સમય સુધી વીજકાપના કારણે લોકો પરેશાન છે. આવી બેઠકો ઉપરાંત, વડાપ્રધાન મોદીએ ગવર્નન્સમાં એકંદરસુધારણા માટે નવા વિચારો સૂચવવા માટે સચિવોના 6 પ્રાદેશિક જૂથોની પણ રચના કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
