મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, કઈ કેટેગરીને મળશે 10% સવર્ણ અનામતનો લાભ, જાણો
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા મોટો દાવ ખેલીને આર્થક રીતે નબળા સવર્ણોને 10% અનામત આપવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા મોટો દાવ ખેલીને આર્થક રીતે નબળા સવર્ણોને 10% અનામત આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ અનામતનો કોટા 49.5 ટકાથી વધીને 59.5 ટકા થઈ જશે. સરકાર બંધારણમાં સુધારા દ્વારા આ પગલાને પૂરુ કરવાની કોશિશ કરશે. કેન્દ્રીય બજેટમાં નક્કી કરવામાં આવ્યુ છેકે આ અનામત શિક્ષણ અને નોકરીમાં આપવામાં આવશે. સૂત્રો મુજબ આર્થિક રૂપે નબળા સવર્ણોને અનામત આપવા માટે કેન્દ્ર સરકારે અમુક માપદંડો નક્કી કર્યા છે. જાણો કોને મળશે અનામત.

આ નિર્ણય માટે કેન્દ્ર સરકારે નક્કી કર્યા છે કે અમુક માપદંડો
ઘણા સમયથી એ માંગ કરવામાં આવી રહી હતી કે આર્થિક રૂપે પછાત સવર્ણોને અનામત આપવામાં આવશે. છેવટે કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય પર મહોર લગાવી દીધી છે. સૂત્રો મુજબ અનામતનો લાભ માત્ર એ જ સવર્ણોને મળશે જેમની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હશે. આ ઉપરાંત જેમની પાંસે પાંચ એકરથી ઓછી જમીન હશે તે પણ આના હકદાર ગણાશે. એક હજાર વર્ગ ફીટથી નાના ઘરવાળાઓને પણ આનો લાભ મળશે. નિગમમાં આવાસીય પ્લોટ છે તો 109 યાર્ડથી ઓછી જમીન હોય કે પછી નિગમથી બહાર પ્લોટ હોય તો 209 યાર્ડથી ઓછી જમીન હોય તેને પણ આનો લાભ મળશે.

બંધારણના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં કરવામાં આવશે ફેરફાર
મોદી સરકાર આર્થિક આધાર પર પછાત સવર્ણો માટે અનામતનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ પ્રકારની કોઈ વ્યવસ્થા અત્યારે બંધારણમાં નથી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારને આ નિર્ણય લાગુ કરવા માટે બંધારણમાં સુધારો કરવો પડશે. બંધારણના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં ફેરફાર કરવામાં આવશે. આશા રાખવામાં આવી રહી છે કે મંગળવારે સંસદમાં સરકાર સુધારા માટેનું બિલ લઈને આવશે.

સવર્ણોના અનામત પર શું હશે વિપક્ષનું વલણ
હાલમાં કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય પર મહોર લગાવી દીધી છે. જો કે અનામત કોટા વધારા અંગે તેમનો રસ્તો થોડો આકરો હોઈ શકે છે કારણકે બંધારણ સુધારામાં સરકારને બાકીના પક્ષોના સાથની પણ જરૂર પડશે. હવે જોવાનું રહેશે કે બીજા પક્ષો આ મુદ્દે શું નિર્ણય લેશે. તમને જણાવી દઈએ કે મંગળવારે સંસદના શિયાળુ સત્રનો છેલ્લો દિવસ છે. એવામાં જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર આ નિર્ણય અંગે આગળ શું રણનીતિ અપનાવે છે.

2019 લોકસભા ચૂંટણીમાં મળશે ભાજપને આનો લાભ
મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા ગરીબ સવર્ણો માટે 10% અનામતનો માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે એસસી-એસટી અનામત સાથે જોડાયેલા વટહુકમ પર સવર્ણોની નારાજગી વહોરી રહેલી ભાજપે આ પ્રસ્તાવથી તેમને ખુશ કરવાની કોશિશ કરી છે. તમને જણાવી દઈએ કે ત્રણ રાજ્યોમાં ભાજપની હાર બાદ આ પ્રકારની વાતો ઉઠી રહી હતી કે સવર્ણોની નારાજગીના કારણે ભાજપે આ હારનો સામનો કરવો પડ્યો છે. જો કે હજુ એ કહેવુ મુશ્કેલ છે કે ભાજપને આનો લાભ મળશે કે નહિ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
