રાહુલે કાર્યકર્તાઓને પૂછ્યું, મુંબઈ ડૂબી રહ્યું હતું, ત્યારે તમે ક્યાં હતા?
કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી ચૂકેલા રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા એક માનહાનીના કેસની સુનાવણી માટે મુંબઈમાં હતા.
કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી ચૂકેલા રાહુલ ગાંધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા એક માનહાનીના કેસની સુનાવણી માટે મુંબઈમાં હતા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તા અને સ્થાનિક લોકો રાહુલ ગાંધીના સમર્થનમાં મુંબઇમાં હાજર હતા. મુંબઈમાં ભારે વરસાદ પછી, જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું હતું, તેને લઈને રાહુલ ગાંધી પાર્ટીના કાર્યકર્તાઓથી નારાજ જોવા મળ્યા અને તેમને પૂછ્યું, 'જ્યારે મુંબઈ ડૂબી રહ્યું હતું ત્યારે તમે લોકો ક્યાં હતા?
આ પણ જુઓ: રાજીનામા પછી ફિલ્મ જોતા રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ

મુંબઈમાં કાર્યકર્તાઓથી નારાજ જોવા મળ્યા
રાહુલે ગુરુવારે મુંબઈમાં કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓને કહ્યું હતું કે, આપણે એક પાર્ટી તરીકે લોકોની મદદ કરવી જોઈએ જયારે તેમને જરૂરત હોય, આ રીતે પાર્ટી વધશે. રાહુલે પાર્ટીના લોકોને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે કહ્યું. તેઓએ પૂછ્યું કે શા માટે તમે મને નથી કહેતા કે આપણે આપણો આધાર મજબૂત બનાવવા માટે શું કરી રહ્યા છીએ.

'મુંબઈ ડૂબી રહ્યું હતું ત્યારે ક્યાં હતા'
બે દિવસ પહેલા, રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષના પદથી રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન, તેમણે મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે એક બેઠક બોલાવવા કહ્યું. ભારે વરસાદ દરમિયાન સામાન્ય લોકોની મદદ ન કરવા માટે પાર્ટીના કાર્યકર્તાઓથી રાહુલ નારાજ જોવા મળ્યા, તેમણે પાર્ટીના કાર્યકર્તાઓ પર ગુસ્સે થયા અને પૂછ્યું કે, શા માટે તેઓ આ સમયે મુંબઈના લોકોને મદદ કરવા આગળ આવ્યા નહીં.

માનહાનીના કેસમાં કોર્ટમાં પેશી માટે પહોંચ્યા હતા મુંબઈ
વાસ્તવમાં, ભાજપ અને આરએસએસ પર પત્રકાર ગૌરી લંકેશની હત્યાના મામલે નિશાન સાધ્યા પછી ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ નોંધાવામાં આવ્યો હતો. આ બાબતે, તેઓ ગુરુવારે મુંબઇ કોર્ટમાં પેશ થયા હતા. કેસની સુનાવણી દરમિયાન, રાહુલએ પોતાને નિર્દોષ જણાવ્યું હતા. સુનાવણી દરમિયાન કોર્ટે રાહુલ ગાંધીને 15000 રૂપિયાની નિજી રકમ પર જામીન આપી હતી. ભૂતપૂર્વ સાંસદ એકનાથ ગાયકવાડે રાહુલ ગાંધીની જામીન લીધી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
