જ્યારે ગુરુદેવે કહ્યું - 'આઝાદીનો અર્થ માત્ર અંગ્રેજોથી મુક્ત થવાનો નથી પણ...'
દેશ અત્યારે 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવી રહ્યો છે, એવા ઘણા લોકો હતા જેમણે કલમ, વિચાર, સ્ટોરી દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો.
Best of Bharat People : દેશ અત્યારે 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવી રહ્યો છે, એવા ઘણા લોકો હતા જેમણે કલમ, વિચાર, સ્ટોરી દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. આવી જ એક મહાન વ્યક્તિનું નામ છે, રવીન્દ્રનાથ ટાગોર, જેમણે પોતાના વિચારો, લેખન અને ગીતોથી અંગ્રેજોનો વિરોધ જ નહીં કર્યો, પરંતુ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમણે ભારતનું રાષ્ટ્રગીત 'જન ગન મન' લખ્યું હતું.

અસહકાર ચળવળ સાથે સંપૂર્ણ સમર્થન કે સંમત ન હતા
દેશથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે સાહિત્યને નવી ઓળખ આપનાર નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરે પોતાની કલમથી બેદેશના રાષ્ટ્રગીતને સુશોભિત કર્યા હતા. હા, ગુરુદેવે ભારતની સાથે સાથે બાંગ્લાદેશનું પણ રાષ્ટ્રગીત લખ્યું હતું.
તેમણે બ્રિટિશસામ્રાજ્યવાદની નિંદા કરી, પરંતુ મહાત્મા ગાંધી અને તેમના અસહકાર ચળવળ સાથે સંપૂર્ણ સમર્થન કે સંમત થયા ન હતા.

જ્યોર્જ પંચમ દ્વારા નાઈટહૂડનું બિરુદ આપવામાં આવ્યું
રવીન્દ્રનાથ ટાગોર નોબેલ પારિતોષિક મેળવનાર એશિયાના પ્રથમ વ્યક્તિ હતા. આ પુરસ્કાર રવીન્દ્રનાથ ટાગોરને તેમની રચના 'ગીતાંજલિ'માટે આપવામાં આવ્યો હતો.
તેમને જ્યોર્જ પંચમ દ્વારા નાઈટહૂડનું બિરુદ આપવામાં આવ્યું હતું, જે તે સમયે અંગ્રેજો દ્વારા ખૂબ જ પ્રતિષ્ઠિતમાનવામાં આવતું હતું, પરંતુ ટાગોરે આ સન્માન પરત કર્યું હતું, કારણ કે તેઓ વર્ષ 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડથી ખૂબ જ વ્યથિતથયા હતા, જેના કારણે તેમણે આ સન્માન પરત કર્યું હતું.
તેમનું કહેવું હતું કે, આઝાદીનો અર્થ માત્ર અંગ્રેજોથી આઝાદી નથી, પરંતુ સાચીસ્વતંત્રતાનો અર્થ છે, પોતાની જાત પ્રત્યે સાચી અને પ્રમાણિક રહેવાની ક્ષમતા. તેમના વિચારો ખૂબ જ સુંદર હતા, જેને જો વ્યક્તિ સ્વીકારેતો તેનું જીવન ક્ષણભરમાં બદલાઈ શકે છે.

રવીન્દ્રનાથ ટાગોરના કેટલાક અમૂલ્ય વિચારો
- ખુશ રહેવું બહુ સહેલું છે, પણ સરળ બની રહેવું બહું અઘરું છે - રવીન્દ્રનાથ ટાગોર
- કેવળ તર્કબદ્ધ મન એ એવી છરી જેવું છે, જેમાં ફક્ત બ્લેડ હોય છે, તેનો ઉપયોગ કરનારને તે ઈજા પહોંચાડે છે - રવીન્દ્રનાથ ટાગોર
- તમે ફૂલની પાંખડીઓ તોડીને તેની સુંદરતા એકઠી કરી શકતા નથી - રવીન્દ્રનાથ ટાગોર
- મિત્રતાની ઊંડાઈ પરિચયની લંબાઈ પર નિર્ભર નથી હોતી - રવીન્દ્રનાથ ટાગોર
- દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે, ભગવાન હજૂ મનુષ્યોથી નિરાશ થયા નથી - રવીન્દ્રનાથ ટાગોર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
