‘મારી માએ મારી પાસે વચન લીધુ હતુ કે ક્યારેય લાંચ નહિ લેવાની': પીએમ મોદી
ઈન્ટરવ્યુમાં વાતચીત કરતા પીએમ મોદીએ કહ્યુ કે મારા મુખ્યમંત્રી બન્યા બાદ માએ મને કહ્યુ, જો ભાઈ... મને ખબર નથી તુ શું કરે છે, બસ મને વચન આપ કે તુ જીવનમાં ક્યારેય લાંચ નહિ લે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના જૂના દિવસો યાદ કરતા કહ્યુ કે તેમની મા માટે તેમનુ પીએમ બનવુ મોડી વાત નહોતુ. 'Humans of Bombay' નામના ફેસબુક પેજને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ તે દિવસોને પણ યાદ કર્યા છે જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આ સાથે સાથે તેમણે એ પણ જણાવ્યુ કે જ્યારે તે પહેલી વાર મુખ્યમંત્રી બન્યા હતા તો તેમની મા હીરાબેનને કેવો અનુભવ થયો હતો. પરંતુ આ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ મા સાથે જોડાયેલી એક ખાસ વાત જણાવી છે.

મને જોતા જ મારી માએ ગળે લગાવી દીધો
પીએમ મોદીએ ફેસબુક પેજ 'Humans of Bombay' ને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીને કહ્યુ કે તેમની મા માટે ગુજરાતના મુખ્યમંત્રી બનવુ દેશના પ્રધાનમંત્રી બનવાથી પણ મોટો મીલનો પત્થર હતો. પીએમે કહ્યુ કે જ્યારે મને મુખ્યમંત્રીની જાણકારી મળી તે સમયે હું દિલ્લીમાં રહેતો હતો. સીએમ પદના શપથ લેતા પહેલા હું સીધો અમદાવાદ માને મળવા પહોંચ્યો જ્યાં તે મારા ભાઈ સાથે રહે છે. જ્યારે હું ઘરે પહોંચ્યો તો ત્યાં ઉજવણી શરૂ થઈ ચૂકી હતી. પીએમે કહ્યુ કે જેવી મારી માએ મને જોયો મને ગળે લગાવી દીધો. તેમણે મને કહ્યુ કે સારી વાત એ છે કે હવે તમે ગુજરાતમાં પાછા આવી જશો. પીએમે કહ્યુ કે એક માનો સ્વભાવ આ છે, આનાથી કોઈ ફરક નથી પડતો તે તેની આસપાસ શું થઈ રહ્યુ છે, બસ તે પોતાના બાળકોની નજીક રહેવા ઈચ્છે છે.

મા બોલી વચન આપ કે તુ ક્યારેય લાંચ નહિ લે
ઈન્ટરવ્યુમાં વાતચીત કરતા પીએમ મોદીએ કહ્યુ કે મારા મુખ્યમંત્રી બન્યા બાદ માએ મને કહ્યુ, જો ભાઈ... મને ખબર નથી તુ શું કરે છે, બસ મને વચન આપ કે તુ જીવનમાં ક્યારેય લાંચ નહિ લે. પીએમ મોદીએ કહ્યુ કે આ શબ્દોએ મને પ્રભાવિત કર્યો છે. પીએમે કહ્યુ કે એ પણ બતાવીશ કે આવુ કેમ થયુ. એક મહિલા જેણે પોતાની આખી જિંદગી ગરીબીમાં ગુજારી. જેની પાસે તહેવારોના સમયે ભૌતિક સુખ સાધન નહોતા તેમણે મને લાંચ ન લેવા માટે કહ્યુ.
મા માટે સીએમ-વીએમ કંઈ મહત્વ નથી ધરાવતુ
પીએમ મોદીએ જણાવ્યુ કે ભલે કોઈએ મારી માને કહ્યુ કે મને એક સાધારણ નોકરી મળી ગઈ તો તેમણે આખા ગામમાં મિઠાઈ વહેંચી હશે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે મા માટે સીએમ વીએમ કંઈ મહત્વ નથી ધરાવતુ. જ્યાં સુધી ખુરશી બેઠેલ વ્યક્તિ દેશ માટે ઈમાનદાર અને નિરપેક્ષ થવાનો પ્રયાસ કરે છે. તમને જણાવી દઈએ કે ફેસબુક પેજ પર પીએમ મોદીના ઈન્ટરવ્યુને પાંચ ભાગમાં જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી ચાર ભાગ જાહેર કરવામાં આવી ચૂક્યા છે. જેમાં પીએમે પોતાના જીવન સાથે જોડાયેલ મહત્વની વાતો શેર કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
