ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં CBIનુ શું છે કામ? જાણો
ઓડિશાના બાલાસોર જિલ્લામાં ટ્રેન દુર્ઘટનાની તપાસની જવાબદારી CBIને આપવામાં આવી રહી છે. આ સાથે કમિશનર ઓફ રેલ્વે સેફટીની તપાસ પણ ચાલુ રહેશે અને તેઓ બે સપ્તાહમાં પોતાનો રિપોર્ટ રેલ્વેને સુપરત કરે તેવી શક્યતા છે. પરંતુ, સવાલો ઉઠી રહ્યા છે કે આ અકસ્માતમાં સીબીઆઈની શું જરૂર હતી?
બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં જેમાં પ્રત્યેક ત્રણ ટ્રેનને અકસ્માત થયો હતો અને કોરોમંડલ એક્સપ્રેસ ખરાબ રીતે ક્રેશ થઈ હતી, સીબીઆઈ જેવી એજન્સી પાસે તપાસ કરવાનો નિર્ણય પ્રથમ નજરે આશ્ચર્યજનક લાગે છે. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં લગભગ 1200 લોકો ઘાયલ થયા હતા અને 275 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ બાબતની જાણકાર સૂત્રો કહે છે કે, શું પોઈન્ટ મશીન કે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગ સિસ્ટમ સાથે કોઈ ચેડાં થયાં હતાં? શું રિકોન્ફિગરેશનને કારણે ટ્રેનનો ટ્રેક બદલાયો હતો કે સિગ્નલમાં ખામી હતી? દેશની ટોચની તપાસ એજન્સી ગુનાહિત એંગલથી આની તપાસ કરશે. મતલબ કે આ અકસ્માતમાં કોઈ ગુનો નથી?
અત્રે નોંધનીય છે કે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે દૂરદર્શનને જણાવ્યું હતું કે દુર્ઘટનાનું 'મૂળ કારણ' અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. રેલ્વે મંત્રીના કહેવા પ્રમાણે, ટ્રેકના કન્ફિગરેશનમાં ફેરફાર અકસ્માતનું કારણ બની શકે છે.
'જેણે પણ આ કર્યું છે તેને બક્ષવામાં આવશે નહીં.' આ પહેલા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રેલ્વે નિષ્ણાતોના મતે, ઈલેક્ટ્રીક પોઈન્ટ મશીન રેલ્વેના સિગ્નલિંગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે, તે પોઈન્ટ સ્વિચને લોક કરવા માટે જરૂરી છે અને તે ટ્રેનોની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
દાખલા તરીકે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (બેંગલોર)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને રેલ સ્ટાર્ટઅપ L2Mના સ્થાપક એસ.કે. સિંહાએ NDTVને જણાવ્યું કે સ્ટેશન-ઇન્ચાર્જ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ દ્વારા ટ્રેનનો રૂટ સેટ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
