જે વિવાદે બેંગલુરુને ભડકે બાળ્યું, તે “કાવેરી વિવાદ” શું છે જાણો અહીં...
કાવેરી નદીમાં પાણીના વિભાજનને લઇને કર્ણાટક અને તમિલનાડુના લોકોનું પ્રદર્શન હિંસક બન્યું છે. કર્ણાટકમાં વિરોધ પ્રદર્શનમાં એક વ્યક્તિની મોત થઇ છે તો બીજી તરફ બેંગલુરુના અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. અને પોલિસ વ્યવસ્થા પણ વધારવામાં આવી છે. અને પોલિસે આપાતકાલીન સ્થિતિમાં 100 નંબર ડાયલ જાહેર કર્યો છે. ત્યારે જે વિવાદે હાલ તમિલનાડુ અને કર્ણાટક બન્નેમાં ભારે ધર્ષણ ચાલી રહ્યું છે તે કાવેરી વિવાદ શું છે. તે વિષે વાંચો અહીં...

ઇતિહાસ
કાવેરી એક અંતરાજ્યીય નદી છે. જે કર્ણાટક અને તમિલનાડુ બન્નેમાંથી પસાર થાય છે અને તેનો એક ભાગ કેરલમાં પણ પડે છે. અને પોંડીચેરીમાં પણ પડે છે. માટે જ આ નદીના પાણીનો ઉપયોગ કયા રાજ્ય કેટલો અને કેમ કરી શકશે તે મામલે હંમેશાથી વિવાદ રહ્યો છે.

અંગ્રેજોના સમયથી છે વિવાદ
કાવેરી જળ વિવાદ આજનો નથી, અંગ્રેજોના સમયથી છે. 19મી સદીમાં મદ્રાસ પ્રેસિડન્સી અને મૈસૂર રાજા વચ્ચે આ વિવાદ શરૂ થયો હતો. 1924માં તેમની વચ્ચે એક કરાર થયો હતો. જેમાં પાછળથી કેરળ અને પોંડીચેરીને પણ સમાવવામાં આવ્યા હતા.

કર્ણાટકને વાંધો હતો
પણ કરાર પછી પણ કર્ણાટકને વાંધો હતો પણ તે સમયે અંગ્રેજોનું શાસન હતું અને તે સમયે કર્ણાટક એક રજવાડુ હતું અને તમિલનાડુ બ્રિટિશ રાજ હેઠળ હતું માટે આ કરાર પર હસ્તાક્ષર તો થઇ ગયા પણ કાવેરી વિવાદ મામલે હંમેશા કેટલાક રાજ્યોને પોતાની સાથે અન્યાય થયો હોય તેમ લાગતું રહ્યું છે. અને આ જ કારણે આ મામલે વિવાદ પણ અવારનવાર થતો રહ્યો છે.

કર્ણાટકનું મંતવ્ય
આ કરારને લઇને સૌથી વધુ વાંધો કર્ણાટકને છે. કર્ણાટકનું માનવું છે કે તેનો કૃષિ વિકાસ તમિલનાડુ કરતા પાછત રહ્યો છે તે પણ કાવેરીનું ઉગમસ્થાન કર્ણાટકમાં હોવા છતાં! કર્ણાટકનું માનવું છે કે તેને ત્યાંથી નદી શરૂ થાય છે જે હેઠળ તેના પાણી પર તેનો પૂર્ણ અધિકાર હોવા જોઇએ.

1972માં એગ્રીમેન્ટ
જે બાદ આ મામલે 1972માં એક કમિટી બનાવી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને 1976માં ચાર દિવાલો વચ્ચે તેના ચાર દાવેદારોમાં એક એગ્રીમેન્ટ થયું. જેની ધોષણા સંસદમાં થઇ અને 1990માં તમિલનાડુની માંગ મુજબ એક ટ્રિબ્યૂનલનું પણ ગઠન થયું. અને નિર્ણય લેવામાં આવ્યો કે કાવેરીનો નક્કી કરેલો પાણીનો હિસ્સો તમિલનાડુને મળવો જોઇએ. જે અંગે પણ કર્ણાટકે પાછળથી નનૈયો ભરી દીધો.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય
તમિલનાડુના કરારને તર્કસંગત જણાવતા 1924 કરાર મુજબ જે પાણીનો હિસ્સો તમિલનાડુ ત્યારે મળતો હતો તે અત્યારે પણ મળે તે માંગ સાથે તમિલનાડુ સુપ્રીમ કોર્ટમાં ગયું અને સુપ્રીમ કોર્ટે પણ તમિલનાડુના પક્ષમાં જ પોતાનો નિર્ણય સંભળાવ્યો.

ભડકી હિંસા
સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને 15 હજાર ક્યૂસેક પાણી 10 દિવસમાં તમિલનાડુને આપવાનો નિર્ણય જાહેર કર્યા જેના કારણે ફરી આ મામલે વિરોધ થયો. જે બાદ 12 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે કાવેરી મામલે પોતાનો નિર્ણય બદલી નવા નિર્ણય મુજબ રોજનું 12000 ક્યૂસેક પાણી કર્ણાટકને તમિલનાડુને આપવાનું કહ્યું. સુપ્રિમ કોર્ટનો આ નિર્ણય 20 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. અને બસ આ જ કારણે બન્ને રાજ્યોમાં હિંસા ભડકી ઉઠી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
