એવું તો શું થયુ કે એક મુસ્લિમે હજ કરવા જતા પહેલા 40 લાખનું હિન્દુ મંદિર બંધાવ્યુ?
જ્યારે મંદિર-મસ્જિદ વિવાદના સમાચારો અવારનવાર હેડલાઇન્સમાં રહે છે ત્યારે એક મોહમ્મદ નૌશાદ નામના વ્યક્તિએ અનોખી મિશાલ આપી છે.
રાંચી : જ્યારે મંદિર-મસ્જિદ વિવાદના સમાચારો અવારનવાર હેડલાઇન્સમાં રહે છે ત્યારે એક મોહમ્મદ નૌશાદ નામના વ્યક્તિએ અનોખી મિશાલ આપી છે. ઝારખંડના દુમકા જિલ્લાના રાણીેશ્વર બ્લોકના રહેવાસી આ વ્યક્તિએ લગભગ 40 લાખ રૂપિયા ખર્ચીને પાર્થસારથી એટલે કે શ્રી કૃષ્ણનું સુંદર મંદિર બનાવ્યું છે અને હવે હજ પર જવાની તૈયારી કરી રહ્યો છે. તે કહે છે, "મંદિર બનાવવાનો મારો સંકલ્પ હતો અને હજ મારી ફરજ છે. ઈન્શાઅલ્લાહ, આ ફરજ પણ ટૂંક સમયમાં પૂરી થશે."

સ્વપ્નથી પ્રેરણા મળી
એક ઈસ્લામિક આસ્તિક વ્યક્તિના મનમાં અચાનક મંદિર બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? જ્યારે નૌશાદને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે તેની પાછળ એક રસપ્રદ ઘટનાનો ઉલ્લેખ કર્યો. તે ત્રણ વર્ષ જુની વાત છે. જાન્યુઆરી 2019માં નૌશાદ ફરવાના ઈરાદે પશ્ચિમ બંગાળના માયાપુર ગયો હતો. આ તે સ્થાન છે જ્યાં 16મી સદીમાં ભક્તિ ચળવળના સ્થાપક નિમાઈ એટલે કે ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો હતો. નૌશાદનું કહેવું છે કે તે માયાપુર સ્થિત મંદિર પરિસરમાં રોકાયો હતો.

40 લાખના ખર્ચે મંદિર બંધાવ્યુ
8 જાન્યુઆરીની રાત્રે તેણે સ્વપ્ન જોયું કે નિમાઈ સન્યાસી તેનો હાથ પકડીને કહે છે કે હું તમારા ગામ મહેશબથાનમાં રહું છું. તમે ત્યાં મારા આરાધ્ય પાર્થસારથીનું મંદિર બનાવો. 9 જાન્યુઆરીના રોજ ગામમાં પાછા ફર્યા પછી નૌશાદે પરિવારના સભ્યોને આ વાત કહી અને બીજા જ દિવસથી મંદિરના નિર્માણ માટે પાયો ખોદવાનું શરૂ કર્યું. લગભગ ત્રણ વર્ષ પછી મંદિર સંપૂર્ણ રીતે પૂર્ણ થયું અને 14 ફેબ્રુઆરીએ અહીં પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ ધામધૂમથી પૂર્ણ થઈ છે.

તમામ ખર્ચ પોતે કર્યો
મંદિરના નિર્માણમાં અંદાજે 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને નૌશાદે આમાં કોઈની પણ આર્થિક મદદ લીધી નથી. શા માટે? આ પ્રશ્ન પર તેઓ કહે છે કે, અલ્લાહની કૃપાથી ખેતી પુષ્કળ છે અને તેનો ધંધો પણ સારો ચાલે છે. મેં નક્કી કર્યું કે જ્યારે મંદિર બનાવવાનો સંકલ્પ મારો છે અને હું સક્ષમ છું તો હું શા માટે કોઈની પાસે પૈસા માંગું. 55 વર્ષના મોહમ્મદ નૌશાદ રાણીશ્વર બ્લોકના ડેપ્યુટી ચીફ પણ છે અને આ રીતે તેમની સામાજિક સરોકાર મોટો છે. તેમનું કહેવું છે કે તેમની પત્ની, પુત્ર, પુત્રી અને પરિવારથી લઈને સમાજના તમામ લોકોએ તેમને પ્રોત્સાહિત કર્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
