શા માટે એક સમયના મોદી વિરોધી અકબર ભાજપમાં જોડાયા?
નવી દિલ્હી, 24 માર્ચઃ એમજે અકબર ભાજપમાં જોડાયા તેનાથી અનેક લોકો આશ્ચર્ય પામ્યા હશે. તેઓ એક પૂર્વ પત્રકાર, ભૂતપૂર્વ સાંસદ અને પૂર્વ કોંગ્રેસી સભ્ય છે. એક સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રીના પ્રખર વિરોધી હતા. શનિવારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, એટલું જ નહીં તેમણે મોદીના વખાણ પણ કર્યા હતા.
તેણે મોદીના વખાણ કરતા કહ્યું, ‘ 10 વર્ષની અંદર જે પ્રકારની ઉંડી તપાસમાંથી મોદી પસાર થયા છે, તેવી તપાસમાંથી અન્ય કોઇ રાજકારણી પસાર થયા નથી. પોલીસ, કેન્દ્ર સરકાર, સીબીઆઇ, કોર્ટ દ્વારા રચવામાં આવેલી સંસ્થા દ્વારા તેમના વિરુદ્ધ તપાસ કરવામાં આવી હતી. જે લોકો આ મુદ્દાને દર વખતે ઉછાળે છે, તેમને ગુજરાત રમખાણ પરના ક્રિષ્ના રિપોર્ટને વાંચી લેવો જોઇએ.

‘મોદી એ સમયે ભાવુક થવાના સામાન્ય રહ્યા હતા. ઇકોનોમિક વિઝન પર તેમનું સ્પષ્ટ ધ્યાન હતું. આ એક ફિટ પેટર્ન છે. ગયા વર્ષે 15 ઑગસ્ટના ભાષણમાં મોદીએ કહ્યું હતું કે, લોકસેવામાં દરેકનો એક જ ધર્મ હોય છે અને તે છે ભારતનું સંવિધાન. ' તેમ અકબરે કહ્યું છે.
નોંધનીય છેકે એક સમયે અકબર મોદીના પ્રખર ટીકાકાર હતા. ત્યારે હવે શા માટે તેમનામાં બદલાવ આવ્યો? એ અંગે તેમણે લખ્યું છે, ‘ મે જે તે સમયે રમખાણો સામે જેટલા પ્રશ્નો ઉઠાવ્યા હતા તે અન્યો કરતા વધારે હતા. જેનો જવાબ વિરોધાભાસ રીતે 10 વર્ષમાં મળ્યો છે, યુપીએ સરકાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીની ભૂલને પકડવા માટે એડી ચોંટીનું જોર લગાવી દીધું હતું, ઝીણવટભરી તપાસ કરાવવામાં આવી. પોતાની બે ફૂલ ટર્મમાં મોદીએ યુપીએ સરકારના આદેશ હેઠળ કામ કરતી સંસ્થાઓનો સામનો કર્યો છે.' આ ઉપરાંત કેટલીક સંસ્થાઓએ કંઇપણ કરીને મોદીની ભૂલ શોધવા પ્રયાસ કર્યો પરંતુ તેમને કંઇ મળ્યું નથી.
તેમણે કહ્યું, ‘મોદી જ્યારે 100 નવા શહેરોના નિર્માણની વાત કરે છે ત્યારે તેઓ દરેક નવી ટાઉનશીપમાં રોજગારીની તકોને નિહાળે છે. આંકડાઓ પર નજર ફેરવીએ તો લોકોમાં ગુસ્સો છે, છેલ્લા દશકામાં માત્ર 2 ટકાની સરેરાશ એવરેજથી રોજગારીમાં વિકાસ નોંધાયો છે, જો યુપીએ સરકારના પહેલા પાંચ વર્ષના કાર્યકાળમાં આ રેટ વધારે હતા ત્યારે ઇકોનોમી સારી હતી, જે યુપીએની બીજી ટર્મમાં 2 ટકા કરતા નીચે જતા રહ્યાં છે. રાષ્ટ્ર સિદ્ધિની પ્રતિક્ષામાં છે અને આશાઓ ડૂબી ગઇ છે.'
‘તેમાં આગળ જવાનો એક જ રસ્તો છે. એ માટે આપણી સામે તકે છે. માત્ર એક વ્યક્તિ(મોદી) છે જે રાષ્ટ્રને આ સંકટોમાંથી બહાર કાઢી શકે છે અને તેનું નામ તમે જાણો છો.' આવું તેમણે તેમના લેખમાં કહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
