Rahul Gandhi Disqualified: શું રાહુલ ગાંધીને લાલુ યાદવે આપ્યો હતો શ્રાપ?, ગિરીરાજ સિંહે સંભળાવ્યો કિસ્સો
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને લાલુ પ્રસાદ યાદવનો શ્રાપ છે. જ્યારે ઘાસચારા કૌભાંડમાં આદેશ આવ્યો અને લાલુ પ્રસાદનું સભ્યપદ જવાનું હતું, ત્યારે રાહુલ ગાંધી તેમને મળ્યા ન હતા. ત્યારે રાહુલ ગાંધીએ આવા કેસમાં અપીલની જોગવાઈ સાથે સંબંધિત વટહુકમ ફાડી નાખ્યો હતો. લાલુ યાદવે તે સમયે રાહુલ ગાંધીને શ્રાપ આપ્યો હતો.

કેરળની વાયનાડ સંસદીય બેઠકનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીને શુક્રવારે સુરતની અદાલત દ્વારા માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમનો અયોગ્યતાનો આદેશ 23 માર્ચથી લાગુ થશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમને બંધારણની કલમ 102 (1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
राहुल गांधी को लालू प्रसाद यादव का श्राप लगा है। जब चारा घोटाले में आदेश आया था और लालू प्रसाद की सदस्यता जाने वाली थी। उस समय राहुल गांधी उनसे नहीं मिलते थे...राहुल गांधी ने तब ऐसे मामले में अपील के प्रावधान से संबंधित अध्यादेश को फाड़ दिया था। लालू जी ने उस समय राहुल गांधी को… pic.twitter.com/XfT3KxRxS2
— ANI_HindiNews (@AHindinews) March 25, 2023
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીને 'મોદી સરનેમ'ને લઈને ગુનાહિત માનહાનિના કેસમાં ગુરુવારે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે, કોર્ટે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષને તાત્કાલિક જામીન આપી દીધા હતા અને તેમની સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી હતી, જેથી તેઓ ચુકાદા સામે અપીલ કરી શકે.
રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ રદ્દ થયા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આને લઈને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. વિપક્ષ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહ્યો છે તો સરકાર જવાબી કાર્યવાહી કરી રહી છે. આ નિર્ણયનો સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. લોકસભા સચિવાલયના આ નિર્ણય બાદ કોંગ્રેસે શુક્રવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આમાં સોનિયા ગાંધી પણ હાજર હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
