Varun Gandhi : પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી બગડી અખિલેશની ઉંઘ? બદલાયા રાજકીય ગણીત
UP Politics Latest Update : ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરૂણ ગાંધીના રાજકીય ભવિષ્યને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે પ્રિયંકા ગાંધીની એન્ટ્રીને કારણે અખિલેશ યાદવનો બગડતો જણાઈ રહ્યો છે.
Varun Gandhi : હાલ રાજકારણમાં સૌથી ચર્ચાસ્પદ માણસ વરૂણ ગાંધી છે. વરૂણ ગાંધીના રાજનૈતિક ભવિષ્યને લઇને ઘણી અફવા અને ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં એવી અફવા હતી કે, વરૂણ ગાંધી ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઇ શકે છે.
જે વચ્ચે એવી પણ અફવાએ જોર પકડ્યું હતું કે, તેઓ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીમાં જોડાઇ શકે છે. આ અંગે વરૂણ ગાંધી તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ઘણી સંભાવનાઓ બની રહી છે.

રાહુલ ગાંધીના ઇન્કાર બાદ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી
રાહુલ ગાંધીએ વરૂણ ગાંધીની અલગ વિચારધારા હોવાનું કહીને કોંગ્રેસમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું, પરંતુ હવે પાર્ટીનામહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ મામલે એન્ટ્રી કરી છે.
ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરૂણ અને પ્રિયંકા ગાંધીશરૂઆતથી જ એકબીજાની નજીક છે, પરંતુ હવે બંને વચ્ચે રાજકીય બાબતોની ચર્ચા થઈ રહી છે. બંનેએ રાજકીય પરિસ્થિતિને લઈનેએકબીજા સાથે પોતાના મંતવ્યો શેર કરવાનું શરૂ કરી દીધું છે.

વરૂણ ગાંધી સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી ચર્ચા
આ સાથે વરૂણ ગાંધી સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. કારણ કે, વરૂણ ગાંધીએ હાલમાં જ સપા પ્રમુખઅખિલેશ યાદવના વખાણ કર્યા હતા. આ સિવાય જ્યારે શિવપાલ યાદવને હાલમાં જ વરૂણ ગાંધી વિશે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણેકહ્યું હતું કે, જે કોઈ ભ્રષ્ટ ભાજપ સરકારને હટાવવા આવવા માંગે છે તેનું સ્વાગત છે.

પ્રિયંકા ગાંધીની એન્ટ્રીએ અખિલેશ યાદવનો ખેલ બગાડ્યો?
આ રાજકીય રમતમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવની રમત બગડતી જોવા મળી રહીછે. જો વરૂણ અને પ્રિયંકા વચ્ચે વાત થાય છે, તો તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને સમાજવાદી પાર્ટીની દાવ નિષ્ફળ થઇ શકે છે. જોકે,હાલમાં કંઈપણ સત્તાવાર નથી અને બધું 'વેઇટ એન્ડ વોચ' સ્થિતિમાં છે.

વરૂણ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર
વરૂણ ગાંધી લાંબા સમયથી પોતાની જ પાર્ટી વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે અને સતત અનેક મુદ્દાઓ પર નિશાન સાધી રહ્યા છે. છેલ્લાકેટલાક મહિનામાં વરૂણ ગાંધીએ મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો છે અને સરકારના કામ પર સવાલ ઉઠાવ્યા છે. જોકેતેમ છતાં તેમણે ભારતીય જનતા પાર્ટીના કોઈપણ નેતા પર નિશાન સાધ્યું નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
