વરુણ ગાંધીએ ખેડૂત આંદોલન પર ફરી સરકાર પર સાધ્યું નિશાન! અટલ બિહારીનો વીડિયો કર્યો શેર
શેર કરેલા વીડિયોમાં અટલ બિહારી તત્કાલીન સરકારને ખેડૂતો પર અત્યાચાર ન કરવા ચેતવણી આપી રહ્યા છે. આ વીડિયોમાં અટલજી કહી રહ્યા છે કે, હું સરકારને ચેતવવા માંગુ છું કે, દમન કરવાની પદ્ધતિઓ છોડી દો. ડરાવવાનો પ્રયાસ કરશો નહીં.
ભાજપ સાંસદ વરુણ ગાંધી ખેડૂત આંદોલન અને લખીમપુર હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોને લઈને પોતાની જ પાર્ટી પર સતત હુમલા કરી રહ્યા છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીની યાદીમાંથી દૂર કરાયેલા વરુણ ગાંધીએ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જૂનો વીડિયો શેર કરતી વખતે ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

આ વીડિયોમાં અટલજીએ આ વાતો કહી છે :
શેર કરેલા વીડિયોમાં અટલ બિહારી તત્કાલીન સરકારને ખેડૂતો પર અત્યાચાર ન કરવા ચેતવણી આપી રહ્યા છે. આ વીડિયોમાં અટલજી કહી રહ્યા છે કે, હું સરકારને ચેતવવા માંગુ છું કે, દમન કરવાની પદ્ધતિઓ છોડી દો. ડરાવવાનો પ્રયાસ કરશો નહીં. ખેડૂત ડરતો નથી. અમે ખેડૂતોના આંદોલનને પક્ષની રાજનીતિ માટે વાપરવા માંગતા નથી, પરંતુ અમે ખેડૂતોની ન્યાયી માંગણીઓને સમર્થન આપીએ છીએ.
આ જૂના વીડિયોમાં અટલ બિહારીજી કહી રહ્યા છે, જો સરકાર દમન કરે, કાયદાનો દુરુપયોગ કરે, શાંતિપૂર્ણ આંદોલનને દબાવવાનો પ્રયત્ન કરે, તો અમે ખેડૂતોની આ લડાઈમાં ખેડૂતોના સમર્થનમાં આવવા માટે અચકાશું નહીં, તેમની સાથે ઉભા રહીશું.
Wise words from a big-hearted leader… pic.twitter.com/xlRtznjFAx
— Varun Gandhi (@varungandhi80) October 14, 2021
વરૂણ ગાંધીને કારોબારીમાંથી બાકાત કરાયા
વરુણ ગાંધી છેલ્લા 17 વર્ષથી ભાજપમાં શામેલ છે. તેઓ અનેક પ્રસંગોએ વિરોધી અવાજ ઉઠાવતા પણ જોવા મળ્યા છે. માનવામાં આવે છે કે, આ કારણોસર ભાજપે તેમને રાષ્ટ્રીય કારોબારીમાંથી બહાર ફેંકી દીધા છે. તેમના સિવાય યુપીના સુલતાનપુર લોકસભા સાંસદ મેનકા ગાંધીને પણ આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
શું તે વરૂણ ગાંધી કોંગ્રેસમાં જોડાશે?
2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા ખેડૂતોના મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ વરુણ ગાંધીનો બળવાનો સૂર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વરુણ ગાંધી અને તેમની માતા મેનકા ગાંધીને ભાજપની રાષ્ટ્રીય કારોબારીની યાદીમાંથી બહાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કારોબારીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારથી, અટકળોનું બજાર ગરમ છે કે, શું વરુણ ગાંધી ભાજપથી મોહભંગ થયો છે?
વરુણ ગાંધીએ માત્ર ત્રણ શબ્દોમાં સમગ્ર મુદ્દાનો સારાંશ આપીને પોતાની વાત પૂરી કરી હતી. વરૂણ ગાંધીએ માત્ર એટલું જ કહ્યું કે, 'આ બધી અફવા છે'. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના પ્રદર્શન અને લખીમપુર ઘેરીની ઘટના બાદ વરુણ ગાંધીનો બળવો કરતા જોવા મળી રહ્યા હતા. વરુણના બળવાને ધ્યાનમાં રાખીને એવી અટકળો છે કે, તેઓ ભાજપ છોડી શકે છે. તાજેતરમાં તેમની ટ્વિટર પ્રોફાઇલનો એક સ્ક્રીનશોટ પણ વાયરલ થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમણે BJP શબ્દ તેમના ટ્વિટર બાયોમાંથી હટાવી દીધા છે. જો કે, વરુણ ગાંધીના નજીકના મિત્રોએ આ વાતને રદિયો આપ્યો અને સ્પષ્ટ કર્યું કે, વરુણે ક્યારેય બાયોમાં પાર્ટીનું નામ લખ્યું જ નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
