મોટા સમાચારઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓના રસીકરણને આપી મંજૂરી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓના રસીકરણને શુક્રવારે મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્લીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓના રસીકરણને શુક્રવારે મંજૂરી આપી દીધી છે. આરોગ્ય મંત્રાલયનુ કહેવુ છે કે ગર્ભવતી મહિલાઓ હવે CoWIN એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે અથવા પોતાના નજીકના COVID રસીકરણ કેન્દ્ર (CVC)માં જઈને કોરોના વેક્સીન લગાવી શકે છે. મંત્રાલય દ્વારા આ મંજૂરી બાદ હવે ગર્ભવતી મહિલાઓ હવે કોરોના વેક્સીન લગાવી શકશે. NTAGI દ્વારા આરોગ્ય મંત્રાલયને ભલામણ કરવામાં આવી હતી જેને આરોગ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે NTAGI એટલે કે નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઑન ઈમ્યુનાઈઝેશનની ભલામણને મંજૂરી આપી દીધી છે.

તમને જણાવી દઈએ કે કોરોના મહામારીથી બચાવનો એકમાત્ર ઉપાય વેક્સીનેશન જ છે પરંતુ બાળકો અને ગર્ભવતી મહિલાઓને અત્યાર સુધી મંજૂરી ન મળવાના કારણે વેક્સીન આપવામાં આવી રહી નહોતી. પરંતુ હવે મંત્રાલય દ્વારા મંજૂરી આપવા પર પ્રેગ્નન્ટ મહિલાઓ પણ વેક્સીન લગાવી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બાળકો માટે પણ જલ્દી વેક્સીન આવી જશે. એક સ્ટડીનો હવાલો આપીને એ દાવો કરવામાં આવી રહ્યો હતો કે કોવિડનો ગર્ભવતી મહિલાઓને વધુ જોખમ છે. તેમના આરોગ્ય પર સંક્રમણની ખરાબ અસર થઈ રહી છે. તેમને સંક્રમણના કારણે ગંભીર બિમારીઓનુ જોખમ વધી રહ્યુ છે.
આ સાથે જ ગર્ભમાં રહેલા ભ્રૂણ પર અસર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી. કુલ મળીને સામાન્યની અપેક્ષા ગર્ભવતી મહિલાઓને કોવિડનુ જોખમ વધુ હોય છે. આ ઉપરાંત સમયથી પહેલા બાળક થવાની વાત પણ જણાવવામાં આવી રહી હતી. વળી, હવે ગર્ભવતી મહિલાઓ વેક્સીન લઈને પોતાને સુરક્ષિત કરી શકે છે. આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે ગર્ભવતી મહિલાઓ કોઈ પણ ગર્ભાવસ્થાના કોઈ પણ સ્ટેજમાં કોરોના વેક્સીન લગાવી શકે છે.
મોદી સરકારે જણાવ્યુ કે કોરોના વેક્સીન મોતથી 98 ટકા સુધી સુરક્ષા આપે છે. પંજાબ સરકાર અને PGI ચંદીગઢના સ્ટડીમાં આ વાત સામે આવી છે. બંનેએ મળીને પંજાબ પોલિસકર્મીઓ પર એક સ્ટડી કર્યો હતો. આરોગ્ય મંત્રાલય અનુસાર આ સ્ટડીમાં શામેલ 4868 પોલિસકર્મી એવા હતા જેમનો કોવિડ વેક્સીન નહોતી લાગી આમાંથી કોવિડથી 15 લોકોના મોત થયા. 3.08 પ્રતિ હજાર. 35856 પોલિસકર્મી એવા હતા જેમનો વેક્સીનનો ડોઝ લાગ્યો હતો. આમાંથી 9ના મોત થઈ ગયા. એટલે કે 0.25 પ્રતિ હજાર.42720 પોલિસકર્મીઓને વેક્સીનનો બંને ડોઝ લાગી ચૂક્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
