યોગી આદિત્યનાથે કહ્યું કે મુગલ શાશક અકબર નહિ, પરંતુ મહારાણા પ્રતાપ મહાન
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે મહારાણા પ્રતાપ જયંતિ પર કહ્યું કે મુગલ શાશક અકબર નહિ પરંતુ મહારાણા પ્રતાપ મહાન હતા
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે મહારાણા પ્રતાપ જયંતિ પર કહ્યું કે મુગલ શાશક અકબર નહિ પરંતુ મહારાણા પ્રતાપ મહાન હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકબરને મહાન માનવાથી ઇન્કાર કરતા જણાવ્યું કે મહારાણા પ્રતાપ પોતાના કિલ્લાને મેળવવા માટે વર્ષો સુધી લડાઈ ચાલુ રાખી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આરએસએસ ઘ્વારા યોજવામાં આવેલી મહારાણા પ્રતાપ જયંતિના અવસરે બોલી રહ્યા હતા.

અકબર સામે પોતાનો કિલ્લો પાછો મેળવવા માટે લડતા રહ્યા
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહારાણા પ્રતાપ જયંતિના અવસરે તેમને એક મહાન શાશક ગણાવ્યા. તેમને કહ્યું કે મેવાડના રાજાએ પોતાના સ્વાભિમાન સાથે સમજૂતી નથી કરી અને અકબર સામે પોતાનો કિલ્લો પાછો મેળવવા માટે લડતા રહ્યા. તેમની નજરમાં મુગલ શાશક અકબર નહિ પરંતુ મહારાણા પ્રતાપ મહાન છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અકબરે મહારાણા પ્રતાપને કહ્યું હતું કે તેઓ તેમને બાદશાહ માની લે, પછી તેઓ ક્યારેય પણ મેવાડમાં દખલ નહીં કરે. પરંતુ મહારાણા પ્રતાપ ઘ્વારા જવાબ આપવામાં આવ્યો કે તેઓ ક્યારેય પણ એક વિદેશીને પોતાનો રાજા નહીં માને.

મહારાણા પ્રતાપ પોતાના નિર્ણય પર અટલ રહ્યા
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે મહારાણા પ્રતાપે પોતાનો કિલ્લો પાછો લઈને પોતાનું પરાક્રમ સાબિત કર્યું. તેમને જણાવ્યું કે આ બાબત ખુબ જ મહત્વની છે કે મહારાણા પ્રતાપે પોતાના આત્મસમ્માન સાથે અરવલ્લીના પહાડોમાં રહીને લડાઈ ચાલુ રાખી અને આખરે પોતાનો કિલ્લો જીતી લીધો. તેમને જણાવ્યું કે તે સમયે ઘણા રાજાઓ ઘ્વારા પોતાનું આત્મસમ્માન નેવે મૂકીને અકબરને પોતાના રાજા માની લીધા હતા. પરંતુ મહારાણા પ્રતાપ પોતાના નિર્ણય પર અટલ રહ્યા.
|
અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે કહ્યું કે વાસ્તવમાં તે જાતિ છે જેમને પ્રતાપને મહાન બનાવ્યા. તેમની સાથે મળીને મહારાણા પ્રતાપે ઘણી લડાઈઓ લડી, જેને આજે આપણે દલિત અને વનવાસી કહીયે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
