યુપીઃ કન્નૌજ બસ દૂર્ઘટનામાં 20ના મોત, વળતરનુ એલાન, PM એ વ્યક્ત કર્યુ દુઃખ
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં શુક્રવારે રાતે ભીષણ માર્ગ અકસ્માત થઈ ગયો. અહીંના જીટી રોડ હાઈવે પર ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ ગઈ ત્યારબાદ બસમાં ભીષણ આગ લાગી ગઈ.
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં શુક્રવારે રાતે ભીષણ માર્ગ અકસ્માત થઈ ગયો. અહીંના જીટી રોડ હાઈવે પર ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ ગઈ ત્યારબાદ બસમાં ભીષણ આગ લાગી ગઈ. આ દૂર્ઘટનામાં 20 લોકોના મોત થઈ ગયા. વળી, 21 લોકો ઘાયલ છે. કન્નૌજના જિલ્લાધિકારી રવિન્દ્ર કુમારે જણાવ્યુ કે આગ પર કાબુ મેળવી લેવાયો છે. વળી, આ દૂર્ઘટનામાં ઘાયલ થયેલા લગભગ 21 લોકોને તરત જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બસ સંપૂર્ણપણે બળી ગઈ છે. 21 ઘાયલોમાંથી 13ને મેડીકલ કોલેજ તિર્વામાં રિફર કરવામાં આવ્યા છે.

આ દૂર્ઘટનામાં મૃતકોના પરિજનોને 2 લાખ અને ઘાયલોને 50-50 હજાર આપવાની મુખ્યમંત્રીએ ઘોષણા કરી છે. સીએમ યોગીએ ઘાયલોને તત્કાલ ઈલાજ કરાવવાના નિર્દેશ આપીને સમગ્ર મામલે ડીએમ પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. સાથે જ મૃતકોના પરિજનો પ્રત્યે શોક સંવેદના વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે બસ ફરુખાબાદથી જયપુર જઈ રહી હતી. કન્નૌજના છિબરાઉના ઘિલોઈ ગામ પાસે ઝડપથી આવી રહેલી ટ્રક સાથે બસની ટક્કર થઈ ગઈ. જોત જોતામાં બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ.
Prime Minister Narendra Modi: I am deeply saddened to know about the horrific road accident in Uttar Pradesh's Kannauj. Several people have lost their lives in the accident. I express my condolences to the bereaved families and wish speedy recovery to the injured persons. pic.twitter.com/prZdMasCHu
— ANI (@ANI) 11 January 2020
દૂર્ઘટના નજરે જોનાર સાક્ષીઓનુ કહેવુ છે કે બસ સંપૂર્ણપણે મુસાફરોથી ભરેલી હતી. બસમાં આગ લાગ્યા બાદ ત્યાં અફડાતફડીનો માહોલ બની ગયો. ટક્કર બાદ ભીષણ આગ લાગી ગઈ. લોકોએ બસમાંથી નીકળવાની કોશિશ કરી. નજરે જોનારાની માનીએ તો બસમાં 60થી વધુ લોકો હતા અને બસ આખી ખીચોખીચ ભરેલી હતી. જો કે બસમાંથી માત્ર 10-12 લોકો જ ઉતરવામાં સફળ થઈ શક્યા અને બાકીના લોકો બસમાં ફસાઈ ગયા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
