ખુર્શીદે મોદીને કહ્યા 'નપુંસક', 'તમે હત્યારાઓને રોકી ન શક્યા'
ફરૂખાબાદ, 26 ફેબ્રુઆરી: કેન્દ્રિય મંત્રી સલમાન ખુર્શીદે નરેન્દ્ર મોદીને 'નપુંસક' કહ્યા અને ભાજપે તેમની આ ટિપ્પણીની આકરી નિંદા કરી. વડાપ્રધાનના પદ માટે ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિદેશ મંત્રીની આ નવી ટિપ્પણી વર્ષ 2002ના ગોધરા કાંડ બાદ ફાટી નિકળેલા રમખાણો સામે મુખ્યમંત્રીની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતાં આ પ્રકારની ટિપ્પણી કરી હતી. સલમાન ખુર્શીદે પહેલાં એકવાર નરેન્દ્ર મોદીની તુલના દેડકા સાથે કરી હતી જે હજુ સુધી કુવામાંથી બહાર આવ્યો નથી.
નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના ફરૂખાબાદથી સાંસદ સલમાન ખુર્શીદે સવાલિયા અંદાજમાં કહ્યું હતું કે દેશના વડાપ્રધાન પદની આકાંક્ષા રાખનાર એક વ્યક્તિ 2002ના રમખાણો દરમિયાન કંઇ કરી ન શક્યો.
સલમાન ખુર્શીદે કહ્યું હતું કે ભાજપ નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણના મુદ્દે સુપ્રીમ કોર્ટમાંથી ક્લિન ચિટ મળી હોવાનો આધારહિન પ્રચાર કરી રહી છે. તેમણે કહ્યું હતું કે સત્ય તો એ છે કે એક મેજિસ્ટ્રેટે એક કેસની તપાસમાં સબૂતોના અભાવને ધ્યાનમાં રાખતા નરેન્દ્ર મોદીની સંલિપ્તતા નહી હોવાની વાત કહી છે. એનો અર્થ એ નથી કે નરેન્દ્ર મોદીના દામન પરથી રમખાણોના દાગ ધોવાય ગયા છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે 'હુલ્લડખોરોએ રેલવેના ડબ્બામાં આગ ચાંપી, તે સમયે રાજ્યના મુખ્યમંત્રી કોણ હતા. ત્યારબાદ જે રમખાણો ભડક્યા અને નિર્દોષ લોકોના જીવ ગયા, તે સમયે કોના કાર્યકાળમાં ગયા. જે વ્યક્તિ સત્તા અને શાસનમાં રહીને રમખાણો પર અંકુશ ન લગાવી શકે તે વડાપ્રધાનની ખુરશી પર બેસીને દેશની સુરક્ષા કેવી રીતે કરી શકશે.'
વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે 'કેટલાક લોકો આવે છે, હુમલા કરે છે અને જતા રહે છે અને તમે રક્ષા કરી શકતા નથી. તમે એક મજબૂત વ્યક્તિ છો?' તેમણે કહ્યું હતું કે 'અમે તમને (મોદી) લોકોની હત્યાના આરોપી કહેતા નથી, અમારો આરોપ છે કે તમે નપુંસક છો. તમે હત્યારાઓને રોકી ન શક્યા.'
નરેન્દ્ર મોદીના ખાસ સહયોગી અને ગુજરાતના મંત્રી જય નારાયણ વ્યાસે કહ્યું હતું કે સલમાન ખુર્શીદની 'અભદ્ર ટિપ્પણી' લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસી નેતાઓની 'હતાશા'ને દર્શાવે છે. ભાજપના નેતા સધાંશુ મિત્તલે કહ્યું હતું કે તે નિરાશ છે આ પ્રકારની ભાષાનો ઉપયોગ તે લોકો દ્વારા કરવામાં આવે છે જે પોતાને ભણેલા ગણેલા કહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
