ઉન્નાવ રેપ આરોપી કુલદીપ સેંગર બોલ્યો, ભગવાનને પ્રાર્થના કરો તે ઠીક થાય
ઉન્નાવ ગેંગરેપ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગર અને શશી સિંહને યુપીના સીતાપુર જિલ્લા જેલમાંથી રવિવારે સાંજે પેશી માટે દિલ્હી લઈ ગયા હતા.
ઉન્નાવ ગેંગરેપ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગર અને શશી સિંહને યુપીના સીતાપુર જિલ્લા જેલમાંથી રવિવારે સાંજે પેશી માટે દિલ્હી લઈ ગયા હતા. બંને આરોપીઓને સોમવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં હાજર કરવામાં આવશે. સીતાપુર જેલની બહાર પોલીસ વાનમાંથી કુલદીપ સેંગરે પીડિતા માટે કહ્યું કે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે સ્વસ્થ થઇ જાય. આ સાથે, તેમણે પોતાની ઉપર ષડયંત્રનો આરોપ લગાવ્યો.
આ પણ વાંચો: ઉન્નાવ કેસ: આરોપી કુલદીપ સિંહ સેંગરને તીસ હજારી કોર્ટ લાવવામાં આવ્યો

પીડિતા જલ્દી સ્વસ્થ થઈ જાય
સીતાપુરથી પોલીસ વાનમાં દિલ્હી લઇ જતી વખતે મીડિયા સાથે વાત કરતાં આરોપી ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગરે કહ્યું કે, હું ભાજપનો કાર્યકર હતો અને હું જે પણ પાર્ટીમાં રહું છું તેમાં પ્રામાણિકતાથી રહું છું. મને કોર્ટ, સીબીઆઈ પર વિશ્વાસ છે. આ રાજકીય ષડયંત્ર છે. મારી ભગવાનને કામના છે કે તે (ઉન્નાવ રેપ પીડિતા અને તેનો વકીલ) સ્વસ્થ થઇ જાય. મને ભગવાન, હાઇકોર્ટ અને સીબીઆઈમાં વિશ્વાસ છે. મને તમારા બધા પર (મીડિયા) પણ વિશ્વાસ છે. તમે બધા સાચી વસ્તુઓ દેખાડશો.

સેંગરની આવતીકાલે તીસ હજારી કોર્ટમાં પેશી
સીબીઆઈ સોમવારે ઉન્નાવ રેપના આરોપી ભાજપમાંથી બરખાસ્ત કરવામાં આવેલા ધારાસભ્ય કુલદીપ સેંગર અને તેના સાથી શશી સિંહ સોમવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં હાજર કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉન્નાવ કેસ સાથે સંકળાયેલા પાંચ કેસોમાંથી ચાર કેસ યુપીથી દિલ્હી ટ્રાન્સફર થયા છે. શનિવારે તીસ હજારીમાં જિલ્લા ન્યાયાધીશ ધર્મેશ શર્માની અદાલતની નોંધ લેતા સેંગર અને તેના સાથીદારની રજૂઆત માટે પ્રોડક્શન વોરંટ જારી કર્યું હતું. સીબીઆઈ કોર્ટમાં બંને આરોપીઓની રિમાન્ડ માંગી શકે છે.
|
પીડિતાની હાલત હજુ પણ ગંભીર
કેસની સુનાવણી ટ્રાન્સફર થતાં, કુલદીપ સિંહ સેંગર અને તેના સાથી શશી સિંહની જેલ ટ્રાન્સફરની સંપૂર્ણ પ્રક્રિયા પણ કોર્ટની સૂચના પર કરવામાં આવશે. મળેલી માહિતી મુજબ બંને આરોપીઓને દિલ્હીની તિહાડ જેલમાં મોકલી શકાય છે. કારણ કે મંગળવારે બીજા એક કેસમાં પણ કુલદીપ સેંગરને કોર્ટમાં હાજર રહેવું પડશે. આ સાથે જ કોર્ટે ટ્રાયલ કોર્ટને કેસની સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. અકસ્માત બાદ પીડિતા અને તેના વકીલને 28 જુલાઈએ લખનઉની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે તેને ન્યુમોનિયા હોવાથી તેની હાલત નાજુક છે. તેના વકીલને વેન્ટિલેટર સપોર્ટથી હટાવવામાં આવ્યા છે, પરંતુ તે હજી પણ જોખમની બહાર નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
