સોમવારથી દેશમાં ખુલશે ધાર્મિક સ્થળ, મૉલ અને રેસ્ટોરાં
સોમવારથી દેશમાં ખુલશે ધાર્મિક સ્થળ, મૉલ અને રેસ્ટોરાં
નવી દિલ્હીઃ કોરોના સંકટને પગલે 2 મહિનાથી વધુ સમયથી દેશમાં ચાલી રહેલા લૉકડાઉનથી અર્થવ્યવસ્થા પર જબરી અસર પડી છે. જેને પાટા પર લાવવા માટે સરકારે અનલૉક શરુ કર્યું છે. જેનો પહેલો તબક્કો 8 જૂનથી આખા દેશમાં લાગૂ થઈ રહ્યો છે. જે અંતર્ગત હોટલ, રેસ્ટોરાં, ધાર્મિક સ્થળ અને મૉલ ખુલી શકશે. કંટેનમેન્ટ ઝોનમાં હાલ પ્રતિબંધ યથાવત રહેશે. સરકારે આ રાહતની સાથે જ દરેક જગ્યા માટે નિયમ અને શરતો બનાવી છે.

હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે શનિવારે કહ્યું કે ગુરુગ્રામ અને ફરીદાબાદ જિલ્લામાં શૉપિંગ મૉલ અને ધાર્મિક સ્થળોને હાલ લોકો માટે ખોલવામાં નહ આવે. જો કે તેમણે કહ્યું કે હરિયાણાના બાકી ભાગમાં મૉલ અને ધાર્મિક સ્થળોને 8 જૂનથી ખોલવામાં આવશે. વિજે ન્યૂજ એજન્સી પીટીઆઈને કહ્યું કે, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં શૉપિંગ મૉલ અને ધાર્મિક સ્થળ હાલપૂરતા ખોલવામાં નહિ આવે. જો કે તેમણે કહ્યું કે હરિયાણાના બાગી ભાગોમાં મૉલ અને ધાર્મિક સ્થળ 8 જૂનથી ખોલવામા આવશે. વિજે ન્યૂજ એજન્સી પીટીઆઈને કહ્યું, 'ગુરુગ્રામ અને ફરીદાબાદમાં શૉપિંગ મૉલ અને ધાર્મિક સ્થળ હાલ બંધ રહેશે. જો કે બાકી જગ્યાઓએ દિશા નિર્દેશો સાથે લોકો માટે ખોલી શકાશે.' હોટલ અને રેસ્ટોરાં ખુલવાનો સમય સવારના 9 વાગ્યેથી સાંજના 8 વાગ્યા સુધી રહેશે.
જ્યારે કેરળના તિરુવનંતપુરમમાં પાલમ જુમા મસ્જિદને સાર્વજનિક રૂપે ના ખોલવાનો ફેસલો લીધ છે. મસ્જિદના ઈમામ વીપી સુહૈબ મૌલવીએ કહ્યું કે, અહીં પર દેશ વિદેશથી પર્યટકો આવે છે, માટે ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ થશે. આ કારણે જ અમે મસ્જિદ બંધ રાખવાનો ફેસલો લીધો છે. જો કે આઠ જૂનથી અહીં મંદિર ખોલવામાં આવશે.
મસ્જિદો માટે એડવાઈઝરી
સરકાર તરફથી અન્ય સંસ્થાનોની સાથોસાથ ધાર્મિક સ્થળોને પણ કેટલીક શરતો સાથે ખોલવાના એલાન વચ્ચે ઈસ્લામિક સેન્ટર ઑફ ઈન્ડિયા ફરંગી મહલે મસ્જિદો માટે એડવાઈઝરી જાહેર કરી છે. 10 વર્ષથી ઓછી ઉંમરના અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકો મસ્જદમાં ના જાય, ઘરે જ નમાજ અદા કરે. તેમણે કહ્યું કે આ સિલસિલામાં 15 દિવસ સુધી હાલાનો રિપોર્ટ લેવામાં આવસે. જો કોઈ તબદીલી થશે તો બીજીવાર પરામર્શ ચાલુ કરાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
