દેશના ફેમસ ન્યૂઝ એંકર રોહિત સરદાનાનુ નિધન, કોરોનાથી હતા સંક્રમિત
દેશના જાણીતા ટીવી ન્યૂઝ એંકર રોહિત સરદાનાનુ શુક્રવારે નિધન થઈ ગયુ.
નવી દિલ્લીઃ દેશના જાણીતા ટીવી ન્યૂઝ એંકર રોહિત સરદાનાનુ શુક્રવારે નિધન થઈ ગયુ. થોડા દિવસો પહેલા તેમણે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો પરંતુ તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો. બાદમાં સીટી સ્કેનમાં તેમને કોરોના પૉઝિટીવ હોવાની પુષ્ટિ થઈ. ત્યારબાદથી તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. અમુક લોકોનો દાવો છે કે તેમનુ મોત કોરોનાના કારણે નહિ પરંતુ હાર્ટ એટેકના કારણે થયુ છે.

રોહિત સરદાનાના સહયોગી અને વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ટ્વિટ કરીને લખ્યુ કે બહુ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ટીવી ન્યૂઝ એંકર રોહિત સરદાના દુનિયામાં નથી રહ્યા. તેમને શુક્રવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. વળી, ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ ટ્વિટ કરીને લખ્યુ કે રોહિત સરદાન, અમે તમને ખૂબ મિસ કરીશુ. જીવનના અભિન્ન અંગ બની ગયા હતા તમે અમારા, જ્યાં પણ હો મારા ભાઈ ખુશ રહો...નારાયણના ચરણોમાં રહો. ॐ શાંતિ.
હરિયાણામાં જન્મ્યા, દિલ્લી હતી કર્મભૂમિ
રોહિતનો જન્મ 22 સપ્ટેમ્બરે હરિયાણાના કુરુક્ષેત્રમાં થયો હતો. શાળાનો અભ્યાસ કર્યા બાદ તે હિસાર જતા રહ્યા અને ગુરુ જમ્બેશ્વર વિશ્વવિદ્યાલય વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીમાં એડમિશન લીધુ. પહેલા તેમણે મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ એ યુનિવર્સિટીથી માસ કમ્યુનિકેશનમાં માસ્ટર્સ કર્યુ. વર્તમાન સમયમાં રોહિત ન્યૂઝ ચેનલ આજ સુધીમાં કામ કરી રહ્યા હતા. આ પહેલા તેમણે સહારા, ઝી ન્યૂઝ જેવી સંસ્થાઓમાં સેવા આપી હતી. 2018માં જ રોહિત સરદાનાને ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
અંતિમ સમય સુધી લોકોની મદદ
કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ રોહિતે લોકોની મદદ કરવાનુ નહોતુ છોડ્યુ. તેમણે સતત ટ્વિટર દ્વારા લોકો સુધી મદદ પહોંચાડવાની કોશિશ કરી. નિધનથી 12 કલાક પહેલા એટલે કે ગુરુવાર રાત 8.45 પર તેમણે એક ટ્વિટ કર્યુ હતુ. જેમાં કાનપુરમાં ભરતી કરુણા શ્રીવાસ્તવ નામના દર્દી માટે મદદ માંગવામાં આવી હતી. તેમના નિધન બાદ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોને ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
