Cyclone Nisarga: મુંબઈથી આવતી-જતી ટ્રેનોનુ શિડ્યુલ બદલાયુ, ફ્લાઈટો પણ રદ
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે વાવાઝોડા 'નિસર્ગે' ભયાનક સ્વરૂપ લઈ લીધુ છે અને તે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યુ છે
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે વાવાઝોડા 'નિસર્ગે' ભયાનક સ્વરૂપ લઈ લીધુ છે અને તે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યુ છે અને તે આજે ત્રણ વાગ્યા આસપાસ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટો પાસેથી પસાર થશે જેની અસર મહારાષ્ટ્ર, ગુજરાત, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી પર સૌથી પહેલા અને સૌથી વધુ હશે એટલા માટે આગલા 24 કલાક આ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ખૂબ જ મહત્વના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસર નિસર્ગ વાવાઝોડુ લગભગ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે તટીય ક્ષેત્રો સાથે ટકરાવાનુ છે કે જે ઘણુ ભયાનક પણ હોઈ શકે છે. હાલમાં નિસર્ગ અલીબાગથી 155 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને મુંબઈથી 200 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે.

બદલાયુ મુંબઈથી આવતી-જતી ટ્રેનોનુ શિડ્યુલ
તોફાનથી નિપટવા માટે પ્રશાસન સંપૂર્ણપણે તૈયાર છે. વળી, મુંબઈ ટર્મિનલથી રવાના થતી 5 ટ્રેનોને ફરીથી શિડ્યુલ કરવામાં આવી છે જ્યારે એક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. વળી, ઈન્ડિગો એરલાઈન્સે ત્રણ ફ્લાઈટને છોડીને આજે મુંબઈથી પોતાની આવતી-જતી 17 ફ્લાઈટ રદ કરી દીધી છે.
|
કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કરી આ અપીલ
વળી, કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને આજે લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે. સાથે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને સાઉથ ગુજરાતના તટીય વિસ્તારોમાં માછીમારોને પણ સમુદ્રમાં ન જવા માટે કહેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે તોફાનના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં રેડ એલર્ટ જારી છે. ચક્રવાતી તોફાન નિસર્ગની અસર દેખાવી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના ઉત્તરી રત્નાગિરી વિસ્તારમાં અત્યારે ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.
|
સ્કાઈમેટે પણ આપી ચેતવણી
જ્યારે સ્કાઈમેટના જણાવ્યા મુજબ વાવાઝોડુ નિસર્ગ આજે બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા વચ્ચે દક્ષિણ મુંબઈ અલીબાગના તટે ટકરાશે અને આ દરમિયાન 60થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ત્યારબાદ જે સ્થળે આનુ લેંડફૉલ થશે ત્યાં પવનની ઝડપ અમુક સમય માટે 100 કિલોમીટર કે તેનાથી પણ વધુ થઈ શકે છે કે જે ઘણી ભયાનક હશે. આ સાથે જ સ્કાઈમેટે વધુ એક ખાસ વાત કહી છે કે અને તે એ કે આ તોફાનની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર પણ થશે જેના કારણે 3 જૂનથી 5 જૂન વચ્ચે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં જોરદાર વરસાદ થવાની સંભાવના છે. માટે અહીં એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

4 જૂન સુધી સ્થિતિ અત્યંત ખરાબ થઈ શકે છે
આઈએમડીએ સંભાવના વ્યક્ત કરી છે કે સમુદ્રમાં 4 જૂન સુધી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આ દરમિયાન 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ વધીને 110 કિલોમીટર પણ થઈ શકે છે. આ વાવાઝોડાની અસર મુંબઈ પર સૌથી વધુ થવાની છે અને આના કારણે મુંબઈ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં પૂરતા કર્મચારીઓની સંખ્યાને તૈનાત કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
