શ્રીનગરમાં સ્થિતિ બેકાબુ, પેટ્રોલ પંપથી લઈને એટીએમની બહાર સુધી લાઈનો
આખી કાશ્મીર ઘાટીમાં હાલમાં અફડા તફડીનો માહોલ છે. શુક્રવારે જ્યારથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી ત્યારબાદથી સ્થિતિ વધુ બગડી ગઈ છે.
આખી કાશ્મીર ઘાટીમાં હાલમાં અફડા તફડીનો માહોલ છે. શુક્રવારે જ્યારથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી ત્યારબાદથી સ્થિતિ વધુ બગડી ગઈ છે. સરકાર તરફથી અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને તરત જ ઘાટી છોડી દેવા માટે કહેવામાં આવ્યુ છે. ત્યારબાદથી અહીંના નાગરિક વધુ પરેશાન થઈ ગયા છે અને શ્રીનગરના પેટ્રોલ પંપો ઉપરાંત એટીએમની બહાર ભીડ જોવા મળી રહી છે.

દરેક તરફ બસ ભીડ જ ભીડ
એક સ્થાનિક નાગરિકે જણાવ્યુ, ‘લોકો ગભરાયેલા છે. કાલથી પહેલા સુધી રાજ્યપાલ કહી રહ્યા હતા કે ગભરાવાની જરૂર નથી પરંતુ સ્થિતિ બગડી ગઈ છે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે તે સ્થિતિ પર ચાલી રહેલી દુવિધાને ખતમ કરે અને બધુ સ્પષ્ટ કરે.' મુંબઈના રહેવાસી આશુતોષ મોદી જે કાશ્મીરમાં હતા તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યુ કે દરેક જગ્યાએ બસ ભીડ જ ભીડ છે. લોકોને સમજમાં નથી આવી રહ્યુ કે શું કરીએ. સરકાર તરફથઈ અમરનાથ તીર્થયાત્રીઓ અને પર્યટકો માટે એડવાઈઝરી સેનાની પ્રેસ કૉન્ફરન્સ બાદ જાહેર કરવામાં આવી. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ હતુ કે પાકિસ્તાનના આતંકી અમરનાથ યાત્રાને નિશાન બનાવવાની ફિરાકમાં છે. શ્રીનગરમાં રસ્તા પર ભીડ જ ભીડ છે અને એટીએમની બહાર લાંબી લાઈન લાગેલી છે.
|
એનઆઈટી શ્રીનગર નથી થયુ બંધ
વળી, બીજી તરફ શ્રીનગર સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી સાથે જોડાયેલા એક આદેશે પણ ઘણુ કન્ફ્યુઝન પેદા કર્યુ છે. આ આદેશ મુજબ ક્લાસિઝને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને છાત્રોને જવા માટે કહેવામાં આવ્યુ છે. શ્રીનગર ડીએમ તરફથી કહેવામાં આવ્યુ છે કે આ રીતનો કોઈ પણ આદેશ આપવામાં આવ્યો નથી. શ્રીનગરમાં પહેલેથી જ બધી શાળા કોલેજ એક ઓગસ્ટ સુધી બંધ છે. શ્રીનગરના ડીસી ડૉક્ટર શાહીદ ઈકબાલે જણાવ્યુ છે કે ઈન્સ્ટીટ્યુટને બંધ કરવા કે આ રીતના કોઈ પણ આદેશ જાહેર કરવામાં આવ્યા નહોતા.

એક્સ્ટ્રા ફ્લાઈટ્સ થશે ઑપરેટ
હવે આ તમામ સ્થિતિ બાદ ડીજીસીએ બધી એરલાઈન્સને એકસ્ટ્રા ફ્લાઈટ્સ ઑપરેટ કરવા માટે કહી દીધુ છે. ડીજીસીએ તરફથી અપાયેલ આદેશમાં બધી એરલાઈન્સને કહેવામાં આવ્યુ છે કે જરૂર પડવા પર એકસ્ટ્રા ફ્લાઈટ્સ ઑપરેટ કરવા માટે તૈયાર રહો. ડીજીસીએ તરફથી આ એડવાઈઝરી સેના તરફથી કરવામાં આવેલી પ્રેસ કૉન્ફરન્સ બાદ આવી. સેનાએ ઈન્ટેલીજન્સ ઈનપુટ્સનો હવાલો આપીને કહ્યુ હતુ કે પાકિસ્તાનના આતંકી અમરનાથ યાત્રાને નિશાન બનાવવાની ફિરાકમાં છે. સેના તરફથી આપવામાં આવેલી માહિતી બાદ જમ્મુ કાશ્મીરના પ્રશાસન તરફથી યાત્રીઓ અને પર્યટકોને જલ્દીમાં જલ્દી ઘાટી છોડવા માટે કહી દેવામાં આવ્યુ. ડીજીસીએ સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી પીટીઆઈએ માહિતી આપી કે ડીજીસીએ બધી એરલાઈન્સને રેડી રહેવા માટે કહ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
