સુપરમેન કહીં અરુણ જેટલીને ભાજપના નેતાએ માર્યો ટોંટ
ભાજપના વરિષ્ઠ નેતા યશંવત સિંહાએ અરુણ જેટલી અને નરેન્દ્ર મોદી પર જીએસટી અને નોટબંધી મામલે માર્યો એક પછી એક ચાબખા. ટોંટ મારતા સિંહાએ અરુણ જેટલીને સુપરમેન પણ કહ્યા. જાણો શું છે આખો મામલો અહીં.
જે નોટબંધી અને GST ના દમ પર કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવાની રણનીતિ બનાવી રહી હતી તેની પર ભાજપના જ એક નેતાએ હુમલો બોલ્યો છે. જીડીપી અને નબળી થઇ રહેલી અર્થવ્યવસ્થાના કારણે હવે ભાજપને વિપક્ષ તો સંભાળાવી રહ્યો જ છે ભાજપના નેતાઓનો પણ વિરોધ સહન કરવાનો વારો આવ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ જ સરકારના આ નિર્ણય માટે હવે અરુણ જેટલી અને નરેન્દ્ર મોદીના વાંક કાઢવાની શરૂઆત કરી છે.

યશંવત સિંહા
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને અટલ બિહારી સરકારના મંત્રી જેમણે પોતે પણ નાણાં મંત્રાલય સંભાળ્યું છે તેવા યશંવત સિંહાએ નાણાં પ્રધાન અરુણ જેટલીનો વાંક નીકાળતા મોદી સરકારના નોટબંધીના નિર્ણયને આલોચના કરી છે. યશંવત સિંહાએ નોટબંધીથી જે જીડીપીમાં ઘટાડો થયો છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે.

જેટલીને શું કહ્યું?
એક અંગ્રેજી છાપામાં પ્રકાશિત થયેલા લેખમાં સિંહાએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી કહે છે કે તેમણે ગરીબીને નજીકથી જોઇ છે. ત્યારે લાગે છે કે તેમના નાણાં મંત્રી તેવું કામ કરી રહ્યા છે કે ભારતના તમામ ભારતીયોને પણ આ જ રીતે ગરીબીને નજીકથી જોવાનો અવસર મળે!

GST
સિંહાએ આ લેખમાં લખ્યું છે કે આજે ના તો નોકરી મળી છે ના જ વિકાસ થઇ રહ્યો છે. રોકણ પણ ઓછું થયું છે અને જીડીપી પણ. જીએસટીને ઠીક રીતે લાગુ કરવામાં નથી આવી જેના કારણે નોકરી અને વેપાર પર પણ મોટી અસર પડી છે. અહીં નોંધનીય છે કે યશંવત સિંહાનો પુત્ર જયંત સિંહા હાલ કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે કામ કાજ સંભાળી રહ્યા છે.

લોકસભા ચૂંટણી
સિંહાએ કહ્યું કે જેટલી આ સરકારનો સૌથી મહત્વનો ચહેરો છે. લોકસભાની સીટ હાર્યા પછી પણ તેમને મંત્રી બનાવવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે મેં પણ નાણાં મંત્રાલય સંભાળ્યું છે. અને તેમાં 24 કલાક કામ રહે છે. જેને જેટલી જેવા સુપરમેન નહીં સંભાળી શકે. તેમણે કહ્યું કે સરકારે 2015માં જીડીપી નક્કી કરવાની વિધિ બદલી દીધી હતી. જો જૂના નિયમોનું માનીએ તો હાલ જે 5.7ની જીડીપી છે તે ખરેખરમાં 3.7 ટકાની જીડીપી છે. જે ચિંતાજનક વાત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
