આજે પણ આંધી-તોફાનનો કહેર વરસી શકે છે, આ રાજ્યોમાં એલર્ટ
હવામાન વિભાગ દ્વારા ચેતવણીમાં કહેવામાં આવ્યુ છે કે સોમવારે દેશના ઘણા ભાગોમાં આંધી-તોફાન આવી શકે છે.
રવિવારો આવેલા આંધી-તોફાને આખા દેશમાં તબાહી મચાવી દીધી છે. ઉત્તરથી લઈને દણિણ અને પૂર્વથી લઈને પશ્ચિમમાં આ તોફાનના કારણે ઘણા લોકોના મોત નીપજ્યા છે. હવામાન વિભાગ દ્વારા ચેતવણીમાં જણાવવામાં આવ્યુ છે કે આ કહેર સોમવારે પણ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા ચેતવણીમાં કહેવામાં આવ્યુ છે કે સોમવારે દેશના ઘણા ભાગોમાં આંધી-તોફાન આવી શકે છે. 14 મે ના રોજ પણ લોકોને આંધી-તોફાનને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે કહેવામાં આવી રહ્યુ છે કે સોમવારે આવનારા તોફાનની ઝડપ રવિવાર કરતાં ઓછી હશે.

સોમવારે પણ બદલશે મૌસમનો મિજાજ
આખા ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી આવી રહેલા આંધી-તોફાનને કારણે લોકોના જીવ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ધૂળની આંધી અને વરસાદને કારણે ઘણા લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. રવિવારે આવેલા તોફાનમાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત નીપજ્યા છે. વળી, હવામાન વિભાગની માનીએ તો આ તોફાનથી સોમવારે પણ રાહત મળવાના અણસાર નથી દેખાઈ રહ્યા. હવામાન વિભાગનું કહેવુ છે કે સોમવારે દેશના ઘણા ભાગોમાં હવામાનની અસર થઈ શકે છે.

વાવાઝોડાની ચેતવણી
સોમવારે દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને તેલંગાનામાં તોફાનનો કહેર જોવા મળી શકે છે. વળી, પહાડી રાજ્યો જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને આસામમાં પણ ઝડપી પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ પહાડી રાજ્યોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મધ્ય ભારતમાં પણ આંધી-તોફાન આવી શકે છે. બીજી તરફ રાજસ્થાનમાં પણ વાવાઝોડુ આવવાની આશંકા જતાવવામાં આવી રહી છે. કેરળના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

રવિવારે આવેલા તોફાનમાં 39 ના મોત, 53 ઘાયલ
વિદર્ભમાં લૂ ના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. હવામાન વિભાગના રિલીફ કમિશ્નર સંજય કુમારે જણાવ્યુ કે રવિવારે આવેલા તોફાનમાં કુલ 39 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેમણે કહ્યુ કે, "આંધીને કારણે 39 લોકોના મોત નીપજ્યા છે. વળી, 53 લોકો ઘાયલ થયા છે અમે પરિવારોને આગામી 24 કલાકમાં વળતર આપવાના નિર્દેશ આપ્યા છે." સોમવારે ઓફિસ હોવાને કારણે લોકોની મુશ્કેલી વધી શકે છે. માટે લોકોને સાવધાની રાખવા જણાવાયુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
